પદ્મશ્રી રવજીભાઈ ધોળકિયા નો દામનગર શહેર માં શનિવારે સન્માન સમારોહ યોજાશે
લાઠી સમાજ ના સર્વાંગી વિકાસ માટે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે વેરાન વગડા માં વસંત પ્રસરાવી દેતું પર્યટક સ્થળ પંચગંગા તીર્થ નિર્માણ કરતા જળક્રાંતિ ના સર્જક સવજીભાઈ ધોળકિયા ના નિવાસ સ્થાન હેત ની વહેલી ખાતે દામનગર શહેર ના અગ્રણી ઓ એ રાષ્ટ્રીય ગૌરવ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ને મળી દામનગર શહેર માં સન્માન સમારોહ માં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા રજનીભાઇ ધોળકિયા બટુકભાઈ શિયાણી પત્રકાર નટુભાઈ ભાતિયા એ જળક્રાંતિ ના પ્રણેતા સવજીભાઈ ને રાષ્ટ્રિય શ્રેષ્ટ નાગરિક સન્માન બદલ શુભેચ્છા પાઠવી અને આગામી તા.૧૨/૨/૨૨ ને શનિવાર ના રોજ દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા એવમ સર્વ સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાનાર છે આ સન્માન સમારોહ માં સવજીભાઈ પરિવાર ને પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું હેત ની વહેલી ખાતે લાઠી તાલુકા ના મતીરાળા કેરાળા અકાળા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સવજીભાઈ ધોળકિયા ને શુભેચ્છા પાઠવવા પધાર્યા હતા
Recent Comments