ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચારે માજા મુકી છે, ગુજરાત સરકારના દરેક વિભાગમાં બેફામ ભ્રષ્ટ્રાચાર થઈ રહયો છે, અને સરકાર તેને છાવરી રહી છે, ગુજરાત સરકારનો કોઈપણ વિભાગ એવો નહી હોય કે જેમાં રૂપિયા આપ્યા વગર કામ થતું હોય આજે આવી પરિસ્થિતીની અંદર ગુજરાતનો ગરીબ અને મધ્યમવર્ગ પીસાઈ રહયો છે, તાજેતર માં જ રાજકોટના પોલીસ કમિશ્નર ઉપર ભ્રષ્ટ્રાચારનો આરોપ ખુદ ભાજપ સરકારના જ રાજયસભાના સાંસદ, મંત્રી અને ધારાસભ્યએ કરીને ખુદ ભાજપ સરકારની પોલ ખોલી નાંખી, ખરેખર આની તટસ્થ તપાસ થવી જોઈએ અને આના તાર કયાં નેતાઓ સુધી પહોચેલા છે તે બહાર લાવવું જોઈએ અને ભાજપની સરકાર અધિકારીઓ અને પોલીસ તંત્રની આડમાં સમગ્ર ગુજરાતમાં હપ્તા ઉઘરાવાનું કામ કરી રહી છે,ખરેખર અધિકારીઓ માત્ર મ્હોરા હોય છે હપ્તાઓની રકમ ગાંધીનગર સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે તેવો ગંભીર આક્ષેપ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.
Recent Comments