દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત ઘર નું બે વર્ષ થી અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે ? ગ્રામ્ય ને એસટી પરિવહન સુવિધા આપો ની માંગ કરતા સરપંચ
દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત ઘર નું બે વર્ષ થી અધૂરું કામ ક્યારે પૂર્ણ થશે ? તાલુકા વિકાસ અધિકારી જાણે છે ?લાઠી તાલુકા પંચાયત કચેરી હેઠળ આવતા શાખપુર ગામે બે વર્ષ થી ગ્રામ પંચાયત કચેરી ના અધૂરા કામ ને પૂર્ણ કરવા સ્થાનિક સરપંચ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને લેખિત રજુઆત લાઠી તાલુકાના શાખપુર સહિત અનેકો ગામડા ને તાલુકા કે જિલ્લા મથકે અવરજવર માટે એસટી પરિવહન નથી લાઠી અને અમરેલી જિલ્લા લેવલે જવા માટે એસટી બસની સુવિધા આપવા સહિત ની રજુઆત લાઠી કે અમરેલી જવામાટે એક પણ બસની સુવિધા શાખપુર ગામની જનતા માટે લાઠી તાલુકા મથકે અને જિલ્લા મથકે ના કામે જવા માટે એક પણ એસટી બસની સુવિધા નથી જે વાહન વ્યવહાર મંત્રી અને સબંધ કરતા તંત્ર સમક્ષ માંગ કરાય છે લાઠી અમરેલી જવા માટે ઓફિસ ટાઇમ એસ ટી બસ મળે તેવી અમરેલી એસટી ડેપો અને ગારીયાધાર એસટી ડેપોને પણ રજૂઆત કરાય છે આજુબાજુ ના ગામ નાના રાજકોટ નાના કણકોટ પાંચ તલાવડા અને શાખપુર ની જનતાને કોઈ સુવિધા મળે તે રીતે એસટી બસ શરૂ કરવા સ્થાનિક સરપંચે ધારાસભ્ય સહિત ડિવિઝન કન્ટ્રોલર ને પત્રો લખી રજુઆત કરી
Recent Comments