મુખ્યમંત્રી રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતેથી શુભારંભ કરશે
અમરેલી જિલ્લાના ૮૨ હજાર લાભાર્થીઓને ૧૦૨ કરોડની સહાય અપાશે
ગ્રામ્ય વિસ્તારના ૬૩ હજાર લાભાર્થીઓને ૭૩ કરોડની સહાય અને શહેરી વિસ્તારનાં ૧૯ હજાર લાભાર્થીઓને ૨૮ કરોડને સહાય અપાશે
આજે ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં તા. ૨૪,૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ દાહોદ, ૨૫ ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત અમરેલી જિલ્લાના ૮૨,૮૭૮ ગરીબોને રૂ. ૧૦૨ કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો પહોંચાડવામાં આવનાર છે. જો કે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા હજુ સુધી શરુ હોવાથી સહાય અને લાભાર્થીઓનો આંકડો વધી શકે છે.
ગ્રામ્ય વિસ્તારના ૬૩ હજાર લાભાર્થીઓને ૭૩ કરોડથી વધુનાં સાધન સહાય સહિતના યોજનાકીય લાભો તેમજ શહેરી વિસ્તારનાં ૧૯ હજાર લાભાર્થીઓને ૨૮ કરોડથી વધુના યોજનાકીય લાભો પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
Recent Comments