કૂળદેવી ખોડીયાર માતાને ધ્વજા રોહણ – મહાઆરતી
ટ્રસ્ટીઓ સાથે બહોળી સંખ્યામા યુવાનો અમરેલી થી સાવરકુંડલાની યાત્રાએ.
સાંપ્રત સમયમાં પરિવારની એકતા ખુબ જ મહત્વની છે તેવા સમયે અમરેલીના સમગ્ર કાબરીયા પરિવારએ સમાજને રાહ ચિંધ્યો છે જેમા કાબરિયા પરિવાર યુથ દ્રારા સાવરકુંડલા મુકામે બીરાજતા કૂળદેવી ખોડીયાર માતાજીના દર્શન સાથે ધ્વજા રોહણ અને મહા આરતીનું આયોજન કરવામા આવેલ જેમા વિશાળ સંખ્યામા ટ્રસ્ટીગણ અને યુવાનો દર્શન યાત્રામા જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કાબરિયા પરિવાર યુથ દ્રારા કરવામા આવેલ હતું જેમા અસંખ્ય પરિવારજનો વાહનો સાથે જોડાયા હતા અને કુંડલા મુકામે કૂળદેવી ખોડીયાર માતાનું પુજન અર્ચન કરેલ હતું તેમ કાબરિયા પરિવાર યુથ ની અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments