શિક્ષણ કાર્ય સિવાય શિક્ષકો ને રાજકીય મેળાવડા માં ભીડ દેખાડવા હાજર રહેવા ફરજ પાડવા સામે દેવળીયા સરપંચ ભાવનાબેન સુખડીયા સખ્ત વિરોધ
અમરેલી દેવળીયા ચક્કરગઢ સરપંચ ભાવનાબેન સુખડીયા ની શિક્ષણાધિકારી શ્રી અમરેલી ને શિક્ષણ કાર્ય સિવાય શિક્ષકો ને સરકારી કાર્યક્રમો માં લઇ જવા ફરજ ન પાડવા રજુઆત અમરેલી તાલુકા ૧૫૦ થી ૨૦૦ શિક્ષકો તા૨૬/૨/૨૨ ના રોજ અમરેલી મુકામે પધારેલ મુખ્ય મંત્રી શ્રી ના કાર્યક્રમ હાજર રહેવા ની ફરજ પાડવા માં આવેલ આ અંગે ગુજરાત સરકાર સુધી ગંભીર નોંધ લેવી અને સંખ્યા દેખાડવા કે આવા રાજકીય મેળવડા કરવા પ્રમુખ મંત્રી કે મુખ્ય મંત્રી કે કોઈ નેતા આવે તો લોકો ના રાબેતા મુજબ ના કાર્યો ને અસર પહોંચતી હોય જે એકાદ બે વર્ષ ના કોરોના મહામારી પછી શિક્ષકો અને બાળકો એ રોજ રોજ વધારા નો સમય આપી માંડ માંડ અભ્યાસ કાર્ય પાટે ચડાવેલ તેવા સમયે સ્કૂલો અને શિક્ષણીક સ્ટાફ ને રાજકીય તાહેરા અને મેળાવડા માટે રોકી રાખી બાળકો ના ભવિષ્ય સાથે સીધી રીતે ચેડાં કરવા જેવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માં આવે અને લોકો અને શિક્ષણવિંદો ના કહેવા અનુસાર શિક્ષણ વિભાગ માં માત્ર શિક્ષણ લગત જ કામગીરી થવી જોઈ એ પરંતુ શિક્ષણ વિભાગ માં માત્ર શિક્ષણ બાદ કરી ને સરકાર અન્ય તમામ પ્રવૃત્તિ કરવા ની ફરજ પાડતી હોય જે કોઈ કાળે ચલાવી શકાય નહીં અને શિક્ષણ વિભાગ માં માત્ર બાળકો નો અભ્યાસ ભવિષ્ય નું ઘડતર સિવાય ની પ્રવૃત્તિ માં શિક્ષણ વિભાગ ને જોડવા ની કે જોયરવા માં આવશે તો તેનો વિરોધ માં ઉતરવા અમારે ફરજ પડશે અને જે કાંઈ નુકશાન થશે એ બાબત ની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગ ની અંગત રહેશે તેની ગંભીર નોંધ લેવા દેવળીયા ચક્કરગઢ સરપંચ ભાવનાબેન સુખડીયા એ શિક્ષણાધિકારી સહિત જિલ્લા કલેકટર શ્રી અમરેલી ને પત્ર પાઠવી માંગ કરેલ છે
Recent Comments