સંવેદન ગૃપ અમરેલી દ્વારા બગસરા ખાતે ૮૮ મું ચક્ષુદાન લેવાયું
બગસરા શહેરના સ્ટેશન રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં વસતાં સોની શાંતિભાઈ ભીમજીભાઈ પટ્ટણી (ઉં.વ.૮૩)નું તા.૨૬/૨/૨૨, રવિવારના રોજ ન્યુમોનિયાને કારણે અવસાન થતાં સ્વર્ગસ્થની અંતિમ ઈચ્છા મુજબ તેમના પૂત્રો રાજેશભાઈ પટ્ટણી (ઈજિપ્ત), રોહિતભાઈ પટ્ટણી (દુબઈ) તેમજ પૂત્રીઓ અરૂણાબેન વિજયકુમાર સતિકુવર (મુંબઈ) તથા લતાબેન ભરતકુમાર ચોક્સી (અમરેલી) દ્વારા ચક્ષુદાન કરેલ. રાજુભાઈ પટ્ટણીએ જાળિયાવાળા મહેશભાઈ સોનીના માધ્યમથી ચક્ષુદાન માટે કાર્યરત સંસ્થા સંવેદન ગૃપના વિપુલ ભટ્ટીનો સંપર્ક કર્યો હતો. આ ચક્ષુદાન સ્વીકારવા માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા અર્પિત પરીખ, દર્શન પંડ્યા, અભિષેક ભરાડ તથા સુમિત વ્યાસે સેવા આપી હતી. પટ્ટણી પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેઓએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમ સંવેદન ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.
Recent Comments