અમરેલી નગરપાલિકા ના સતાધીશો દ્વારા ઉલટો ચોર કોટવાલ ને દંડે પોતા ના બિલ્ડીગ મા ફાયર સેફ્ટી નથી ને બજાર મા આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરી વેપારી ને ત્રાસ આપવાનું બંધ કરો : સમીર કુરેશી
અમરેલી નગરપાલિકા ના શાશક પક્ષ અને અધિકારી ઓ દ્વારા અમરેલી શહેરના 15 મીટર થી ઉંચા બિલ્ડીંગો મા ફાયર સેફ્ટી ના સાધનો આવેલા ન હોય તેવા બિલ્ડીંગ ને શીલ કરવા મા આવી રહ્યા છે એ સારી વાત છે દરેક ઉંચા બિલ્ડીઞ મા ફાયર સેફ્ટી ના સાધનો ફરજીયાત હોવાજ જોઈએ,
પરંતુ આવી કાર્યવાહી કરવાની જેને સત્તા આપી છે તેવા અમરેલી નગરપાલિકા ના તાજેતર મા બનેલા અધતન બિલ્ડીંગ મા આવી ફાયર સેફ્ટી ની કોઈજ સુવિધા ઉપલબ્ધ નથી આ બિલ્ડીગ પાર્કીગ પ્લેસ સહીત ત્રણ માળ નુ ગણાય અને બિલ્ડીંગ ની ઉચાઈ 15 મીટર કરતા વધારે જ છે, આ બિલ્ડીગ મા તમામ આેફીસ કાર્યરત છે અને તમામ કર્મચારીએા નો સ્ટાફ લગભગ 250 ઉપર છે તેમજ દરરોજ 500 થી 700 જેટલા નાગરીકો આ ઓફીસ મા વિવિધ કામગીરી માટે આવતા હોય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કીંગ પ્લેસ છે જેમા બાઇકો, ફોરવહીલ જેવા ત્રણસો ની આસપાસ વાહનો કાયમી પાર્ક કરેલા હોય છે આમ કાયમ ને માટે ધમધતી નગરપાલિકાએ ફાયર સેફ્ટી ના કોઇ સાધનો વસાવેલા નથી કે નવુ બિલ્ડીગ બન્યુ ત્યારે આયોજન કરીને ફીટ કરાવેલ નથી તો આવી બેદરકારી થી ભવિષ્ય મા કાઈ અકસ્માત થાય તો ઓફીસ સ્ટાફ અને શહેર મા થી પાલિકા ઓફીસે પોતાના કામ અર્થે આવતા નાગરીકો ની સલામતી નુ શુ ?આ એક વેધક વિચારશીલ સવાલ છે
આમ આ પાલિકા ના સત્તાધીશો અને અધિકારીઓ ગામ મા બિલ્ડીંઞો ને શીલ મારવા નિકળીળ્યા છો તો પહેલા ઘર મા તો ઝાંખો ! અને નગરપાલિકા ના વહીવટ જોતા કવિ દલપતરામ ની પંક્તિ યાદ આવી જાય કે એમનું તો એક વાંકુ પણ આપના તો અઢારે વાંકા, આમ આ નગરપાલિકા વહિવટકર્તાઓ, તથા અધિકારીઓ ને ઈશ્વર સદબુધ્ધી આપે અને આ રજુઆત થી તમનો અંતરઆત્મા જાગે તો શહેર ની જનતા તથા ઓફીસ સ્ટાફ ને જોખમ મા ધકેલવા ને બદલે વહેલાસર ફાયર સેફ્ટી ના સાધનો વસાવી લેવા માં આવે તેવી રજુઆત નગરપાલિકા ના વિપક્ષ નેતા સમીર કુરેશી દ્વારા કરવામાં આવી છે
Recent Comments