ભારતીય કિસાન સંધ દ્વારા ખેડૂત બલિદાન દિન ની ઉજવણી શહીદ ખેડૂતો ને પુરા અદબ થી પુષ્પાજંલી આપતા ખેડૂતો
અમરેલી ભારતીય કિસાન સંધ દ્વારા ખેડૂત બલિદાન દિને ની ઉજવણી ભારતીય કિસાન સંધે ૧૯ માર્ચ, કિસાન બલિદાન દિવસે શહીદ ખેડૂતો ને પુરા અદબ સાથે શ્રદ્ધાભાવ થી આપી પુષ્પાજંલી ભારતીય કિસાન સંઘ ના અખિલ ભારતીય ચાર કાર્યક્રમ ઉપરાંત ગુજરાત પ્રદેશ દ્વારા પાંચમા કાર્યક્રમ તરીકે ૧૯ માર્ચ કિસાન બલિદાન દિવસ તરીકે ઉજવાય છે.સંગઠન દ્વારા ગુજરાતમાં કાર્યના પ્રારંભે જ ગત તા.૩/૧૦૮૬ ના રોજ ગાંધીનગર ખાતે જંગી ખેડૂતો મોરચો કાઢવામાં આવેલ જેમાં ઐતિહાસિક ના–કર આંદોલન છેડવામાં આવેલ.ત્યાર બાદ અનેક આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા જે પૈકી ૧૯ મી માર્ચ-૧૯૮૭ ના રોજ વિધાન સભા ઘેરાવ કાર્યક્રમ આપવામાં આવેલ જે સમયે સમગ્ર ગુજરાતમાં આંદોલન ચરમસીમાએ હતુ.તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વ.શ્રી સરદાર પ્યારા સિંઘની આગેવાનીમાં સમગ્ર રાજયભર માંથી લાખો કિસાનો ગાંધીનગર તરફ કૂચ કરવા નીકળેલા ત્યારે થયેલા સંઘર્ષમાં પ્રથમ આહુતિ તત્કાલીન હિટલરશાહી સરકારના પોલીસ ગોળીબારમાં પાંચ કિસાનોની જાન લેવાઈ.અને ત્યાર બાદ તા.૨૨/૯/૮૭ ના રોજ અપાયેલ ગામડા બંધ કાર્યક્રમમાં વધુ બે મહિલા સહિત ચાર ખેડૂતો શહીદ થયેલા.ત્યાર બાદનાં આંદોલનમાં પણ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા જતાં મૃત્યુ પામેલ કુલ ૧૫ શહિદો થયા જે સંગઠન માટે પોતાની જાન નું બલિદાન આપનાર શહીદોને યાદ કરવા,શ્રધ્ધાજલી આપવા અને તેમનું અધુરુ રહેલ કાર્ય પૂર્ણ કરવાનાં સંકલ્પો લઈ સંગઠનને વધુ સુદૃઢ અને સ્થાયીત્વ અપાવવા કટીબધ્ધ બનીએ.તે માટે તમામ ગ્રામ તાલુકા જીલ્લા સમિતી કક્ષાએ વધુ સંખ્યામાં એકત્ર થઈ આપણાં સંગઠન/આંદોલનની માહિતી આપવા અને શહીદોને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો કરીએ,રચનાત્મક કાર્યક્રમ ના ભાગરૂપે રકતદાન કેમ્પ રોગનિદાન કેમ્પ,પ્રાકૃતિક ખેતી શિબીર,ગામાતા પર બોધ્ધિક વિગેરે કાર્યક્રમો પણ રાખી શકાય.સાબરકાંઠા માંતો વિર શહીદોના ગામે બનાવેલ શહીદ સ્મારકો ખાતે પ્રતિવર્ષ શહીદ દિવસ મનાવાય છે.
જુનાગઢ માં પણ શહીદ વીરાંગના રમાબેનનું સ્મારક બનાવેલ છે.હક્ક ઉપલબ્ધી માટે પોતા ના અધિકાર ની લડત માટે ગાંધીનગર ખાતે આંદોલન માં શહીદો થયેલ ખેડૂતો ૧.ભોગીલાલ અન્તીલાલ પટેલ ૨. અરવિંદભાઈ મોતીભાઈ પટેલ ૩. વિક્રમભાઈ ખેમાભાઈ પટેલ ૪.જગદીશભાઈ લાલજાભાઈ પટેલ ૫.નારણભાઈ કચરાભાઈ પટેલ ૬. રમાબેન ભુરાભાઈ પટેલ ૭.સીતાબેન ઈશ્વરભાઈ ૮ ઉમેશભાઈ શાહ ૯.રાજેશભાઈ પટેલ સહિત ના શહીદ ખેડૂતો હક્ક ઉપલબ્ધી માટે લડતા દરમ્યાન શહીદી ને વરેલ તેવા શહીદ ખેડૂતો માટે ઉજવતા ખેડૂત બલિદાન દિન ની પુરા અદબ થી ખેડૂતો એ શ્રધ્ધાસુમન અર્પણ કરી શહીદ ખેડૂતો એ હક્ક અધિકાર માટે કરેક સંઘર્ષ ને યાદ કરી લાઠી લીલીયા બાબરાના ગમાપીપળવા દામનગર ધારી અમૃતવેલ સહિત ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂત બલિદાન દિને મોંન પાળી સુંદરકાંડ પાઠ જેવા કાર્યક્રમો કરી શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા વસંતભાઈ ભંડેરી લાલજીભાઈ વસ્તપરા ભનુભાઈ પાનશેરીયા હીરાભાઈ ગજેરા વિનુભાઈ પાનશેરીયા જગદીશભાઈ ભેસાણીયા વિઠલભાઈ દુધાતર રાજેશભાઇ બુહા ધનજીભાઈ છોડવડીયા ચંદુભાઈ ઢેબરીયા રતીભાઈ પાધડાળ ભાવેશભાઈ સુવાગિયા ધીરુભાઈ ભાખર સહિત અસંખ્ય ખેડૂત અગ્રણી ઓ દ્વારા પોટ પોતા ના વિસ્તારો માં બલિદાન દિવસ ઉજવ્યો હતો
Recent Comments