મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સર્વેલન્સની કામગીરી પુરજોશમાં શરૂ
આરોગ્ય તંત્રના ૪૫૧ સુપરવાઇઝરોની દેખરેખમાં ૩૭૨૩ ટીમો દ્વારા ૨.૦૮ લાખ ઘરોની તપાસ કરાઈ : ૩૨૯૮ લોકોના સેમ્પલ લેવાયા
જિલ્લાના તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી સઘન પોરાનાશક કામગીરી હાથ ધરાઈ
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ નિયંત્રણ સર્વેલન્સ અને સઘન પોરાનાશક કામગીરી શરુ કામગીરી કરવામાં આવી છે. જે ૨૧ માર્ચથી ૧ એપ્રિલ અને ૧૮ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી શરુ રહેશે.
કામગીરી શરુ થયાના ફક્ત ત્રણ દિવસમાં તંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના ૨,૦૮,૧૬૭ ઘરોમાં ઘરે ઘરે ફરીને વાહકજન્ય રોગ અંગે સર્વેલન્સ હાથ ધરવામાં આવી હતી. તેમજ તાવના કેસોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તંત્રના ૪૫૧ સુપરવાઇઝરોની દેખરેખમાં ૩૭૨૩ ટીમો દ્વારા ૨.૦૮ લાખ ઘરોની તપાસ કરી ૩૨૯૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાના તમામ મચ્છર ઉત્પત્તિ સ્થાનોની તપાસ કરી સઘન પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી મચ્છર ઉત્પતિ નિયંત્રણની કામગીરી જેવી કે, પોરાનાશક દવાનો છંટકાવ, ૭૩૯૫ બિનઉપયોગી પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મકાનની અગાશીમાં પડેલ તમામ પ્રકારના ભંગારનો નિકાલ કરવા અંગે લોકોમાં સમજણ આપવામાં આવે છે.
Recent Comments