શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ , અમરેલી માં ઓર્થોપેડીકસ સર્જન ડો.પુનીત ટાંક , ડો.નરેશ ચૌધરી તથા ગુંજનકુમાર ઘેલાણી દ્વારા સફળતાપુર્વક ઓપરેશન
શાતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી માં તા . ૦૩/૦૩/૨૦૨૨ ના રોજ દર્દી ધીરૂભાઈ ગોહિલ ઉ .૬૫ વર્ષ રહે.અમરેલી પગ લપસી જવાથી પડી જતા ડાબા થાપાનો ગાળો ભાંગી ગયેલ . આ માટે દર્દીએ હોસ્પિટલમાં બતાવતા થાપાનો ગોળો બદલવાનું ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવેલ . દર્દીને ૧૦ વર્ષથી ડાબાબીટીસ ની તકલીફ છે , હદય ૨૦ % કામ કરે છે . અને ઝેરી કમળાની પણ અસર છે આ પરિસ્થિતિ માં ઓપરેશન કરતા ડોકટ ૨ અને સારવાર કરતા સ્ટાફને ઝેરી કમળાનો ચેપ લાગવાની શકયતા હોય છે . આ બઘા જોખમના કારણે દર્દીને બીજી હોસ્પિટલોએ ઓપરેશન કરવાની ના પાડેલી . દર્દીએ શાતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી નો સંપર્ક કરતા હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે આ ઓપરેશન કરવાની જરૂરીયાત હોવાથી પોતાના જોખમ સાથે ઓપરેશન કરવાની તૈયારી દર્શાવેલી અને દર્દીને દાખલ કરવાની સલાહ આપી . સંપુર્ણ તકેદારી સાથે આ દર્દીનું ઓપરેશન સફળતાપુર્વક પાર પાડીને દર્દીને ઓપરેશનના બીજાજ દીવસથી ચાલવાની છુટ આપી . અત્યારે દર્દી સંપુર્ણપણે સ્વસ્થ છે અને સરળતાથી દુઃખાવા વિના ચાલી શકે છે . આ ઓપરેશન દર્દીને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સંપૂર્ણપણે વિનામુલ્યે માં શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી થયેલ છે . આ ઓપરેશન ડો.પુનીત ટાંક , ડો.નરેશ ચૌધરી તથા ગુંજનકુમાર ઘેલાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments