કુકાવવા ખાતે કોરોનાં અવસાન પામેલા ના મોક્ષાર્થે તથા ગૌમાતા અને નંદી ઓના લાભાર્થે રામ ભરોસે ગૌશાળા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન ચાલી રહ્યું છે
અમરેલી જીલ્લા મોટી કુકાવાવ ખાતે કોરોનાં માં અવસાન પામેલા લોકો ના મોક્ષાર્થે અને રામ ભરોસે ગૌશાળા ના ગૌમાતા અને નંદીજી ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના વક્તા પ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી ભાર્ગવદાદા ભોરીગડાવાળા વ્યાસપીઠ પરી બિરાજી સંગીતમય શૈલીમાં રસપાન તારીખ.- ૦૨/૦૪ થી ૦૮/૦૪ સુધી ચાલી રહ્યું છે આ ભાગવત સપ્તાહ દરમિયાન પોથીયાત્રા, વરાહ અવતાર, કપિલ જન્મ, નૂસિંહ અવતાર, રામ જન્મ, ક્રુષ્ણ જન્મ, ગીરીરાજ પૂજન, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષત મોક્ષ વગેરે ધાર્મિક પ્રસંગો ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આ સપ્તાહ માં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો કથા શ્રવણ નો લાભ લઈ રહ્યા છે તેમ અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments