ખાંભા નજીક આવેલ વાંકુની ધાર પંચમુખી હનુમાન આશ્રમ ખાતે આજથી શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આરંભ
ખાંભા નજીક આવેલ વાંકુની ધાર પંચમુખી હનુમાન આશ્રમ ખાતે આજથી શ્રીરામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આરંભ થયો હતો. મોટા સમઢીયાળાથી ભવ્ય પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી હતી. અહી રામજન્મ, સંતવાણી, ભોજન પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભાવભેર ઉજવણી કરાશે. પંચમુખી હનુમાન મંદિર આશ્રમ ખાતે ગુરૂશ્રી બાજરીયાબાપુની કૃપાદ્રષ્ટિથી અને બ્રહ્મલીન બલરામદાસબાપુના આશિર્વાદથી મહંત રામબાલકદાસબાપુ તેમજ સંત કરૂણાનિધાનદાસબાપુના સાનિધ્યમા શ્રીરામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો આરંભ થયો છે.મોટા સમઢીયાળાથી ભવ્ય પોથીયાત્રા નીકળી : 14મીએ રામજન્મના વધામણા
મોટા સમઢીયાળા ખાતેથી આજે ધામધુમપુર્વક પોથીયાત્રા નીકળી હતી. અહી વ્યાસપીઠ પરથી પુ. આનંદનાથજી બાપુ કથાનુ સંગીતમય શૈલીમા રસપાન કરાવશે. અહી તારીખ 14ના રોજ રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. કથાનો સમય સવારે 8:30થી 11:30 અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે. તારીખ 14ના રોજ સંતવાણી અને લોકડાયરાનુ આયોજન કરાયુ છે.
જેમા પરેશભાઇ વડીયા, પ્રફુલભાઇ જોષી, જયમંત દવે, કરીશ્માબેન દેસાણી, નિલેશભાઇ અગ્રાવત સંતવાણી રજુ કરશે. તારીખ 17ના રોજ રવિવારે બિરજુ બારોટ, શૈલેષ મહારાજ તેમજ તારીખ 19ના રોજ માયાભાઇ આહિર અને મુકેશભાઇ જોષી લોકસાહિત્ય અને સંતવાણી રજુ કરશે.
Recent Comments