સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલ માં ૮૧મો નેત્ર યજ્ઞ અને શાળા નો વાર્ષિકોત્સવ “હોસ્લો કી ઉડાન” કાર્યક્રમ યોજાયો
ચિતલ સરસ્વતિ વિદ્યા મંદિર ચિતલ માં ૮૧ મો નેત્ર યજ્ઞ અને શાળા નો વાર્ષિકોત્સવ યોજાયોરણછોડદાસ આંખ ની હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા સરસ્વતિ વિદ્યા મંદિર ખાતે સ્વ.ભાણાભાઈ લીબાસિયાની સ્મૃતિમાં ૮૧ મો નેત્રયજ્ઞ અને શાળા નો વાર્ષિકોત્સવ ,હોસ્લો કી ઉડાન આર.એસ.એસ.ના જિલ્લા કાર્યવાહ સૌરભભાઈ મકવાણા ના અધ્યક્ષતા માં યોજાયો ગયો જેનું ઉદઘાટન કોમર્સ કોલેજ અમરેલી ના પ્રોફેસર જે.એમ. તળવિયા ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય વક્તા બીનાબેન ગોંડલીયા એ બાળ કેળવણી, રાષ્ટ્ર ભક્તિ માં વાલી ની ભૂમિકા વિષય પર સુંદર પ્રવચન આપેલ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કલા કૃતિ, માટી કામ,પેપર કામ,વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો નું નિદર્શન કરેલ.આ પ્રસંગે અમરેલી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ ના અધ્યક્ષ હસુભાઈ દુધાત, ખોડધામના મનુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત ના કારોબારી ચરમેન નીતિનભાઈ રાઠોડ,સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા,ભાવેશભાઈ છાયાની જે.બી.દેસાઈ, મહેશભાઈ લીંબાસીયા,વિજયભાઈ મહેતા,વગેરે ખાસ હાજરી આપી હતી કેમ્પ ને સફળ બનાવવા માં બિપીનભાઈ દવે,હસુભાઈ ડોડીયા,છગનભાઈ,ખોડાભાઇ ધંધુકિયા, જીતુભાઈ વાઘેલા,રાજુભાઈ ધાનાણી, દિવ્યેશભાઈ બોદર,વી. ડી. લીબાસિયા, દિનેશભાઈ મેસિયા, વલભભાઈ પાથર, પ્રકાશભાઈ પાનસુરીયા, હસમુખભાઈ મોણપરા, અસ્મિતા બેન બોદરવગેરે સેવા આપી હતી કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ આભાર વિધિ ભાવેશભાઈ બોદરે કરેલ
Recent Comments