ધર્મ રક્ષક હમીરસિંહને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ
અમરેલી ધર્મ રક્ષક હમીરસિંહને ભાવાંજલિ અર્પણ કરતું સંવેદન ગૃપ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ધર્મ રક્ષક વીર હમીરસિંહજી ગોહિલના બલિદાન દિને માનવ સેવા અને રાષ્ટ્ર ધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.સંવેદન ગૃપ દ્વારા લાઠીના રાજકુમાર અને અમરેલી પંથકનું ગૌરવ એવાં “વીર હમીરજી : સોમનાથની સખાતે” ફિલ્મના જીલ્લાભરમાં ૧૧ જેટલાં જાહેર શો આયોજીત કરી યુવા પેઢીમાં વિધર્મીઓ સામે ધર્મના ધિંગાણે ચઢેલા અમર બલિદાનીના ઈતિહાસને ઉજાગર કર્યો છે.અમરેલીના બાયપાસ સર્કલે આવેલ હમીરજીની પ્રતિમાને સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, મૂકેશ મંડોરા, વિપુલ ચરણદાસ, ચેતન ચૌહાણ, અશોક પાટણવાલા, દિલીપ રંગપરા, ચેતન ગંગેરા વગેરેએ વીર વંદના કરી હતી તેમ સંસ્થાના ધર્મેન્દ્ર લલાડિયાએ જણાવ્યું છે.
Recent Comments