અમરેલી વિદ્યાસભાના વીશાળ સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓના ૨૦ દિવસીય દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ નો થયેલ પ્રારંભ.
અમરેલીના વૃક્ષના રમણીય ઝુંડવાળા અમરેલી વિદ્યાસભાના વીશાળ સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના,ગુજરાત -સૌરાષ્ટ્ર પ્રાંતના રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની જુદીજુદી જવાબદારી નિભાવતા સ્વંયસેવકનો દ્વિતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ નો ૨૦દિવસીય વર્ગનો પ્રારંભ થયો.જેમાં ગુજરાત -સૌરાષ્ટ્ર ભરના ૨૭૩થી વધુ શિક્ષાર્થીઓ ઉપસ્થિત હતા.આ કાર્યક્રમના અતિથી વિશેષ તરીકે ગુજરાતના પ્રથમ હરોળના હીરાના ઉદ્યોગપતિ,કેળવણીના ભેખધારી વસંતભાઈ ગજેરા જેઓ અમરેલી વિદ્યાસભા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી છે તેઓ તથા ઉદ્દઘાટક તરીકે સંઘના પશ્ચિમ ક્ષેત્રના સહ કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચોધરી ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆતમાં દીપ પ્રાગટ્ય, ભારતમાતા પૂજન બાદ, ભારતમાતાનું સુંદર ગીત”પરમ વૈભવી ભારત હોગા”ગવાયું. બાદમાં વર્ગના સર્વાધિકારી શ્રી મહેશભાઈ ઓઝાએ ઉપસ્થિત સ્વયંસેવકો, મહેમાનોનું સ્વાગત કરી આ વર્ગ ની માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભારતના કુલ ૨૧૩ શિક્ષાર્થી તથા તેના પ્રશિક્ષણ માટેના ૧૯ શિક્ષકો,અને ૪૦ જેટલા પ્રબંધકોની ઉપસ્થિતિમાં આ દ્વિતીય વર્ષનો વર્ગ યોજાય રહ્યો છે. સમગ્ર વર્ગ દરમિયાન સંઘના અખિલ ભારતીય, ક્ષ’ત્રિય , પ્રાંતના અધિકારીઓ દ્વારા વિવિધ વિષયોનું બૌદ્ધિક તથા શારીરિક પ્રશિક્ષણ આપવામાં આવે છે
ત્ત્યારબાદ અતિથી વિશેષ માન. શ્રી વસંતભાઈ ગજેરાએ પ્રસંગની ખુશી જાહેર કરતા જણાવેલ કે માત્ર ૭ ધોરણ સુધી ભણેલ હોવા છતાં તથા ૧૦૦૦૦ રૂ.માં હીરાનો ઉદ્યોગ શરુ કરેલો પણ આજે ઈશ્વર કૃપાથી કેળવણી ક્ષેત્રે જ આગવી ફરજ નિભાવી રહ્યા છે. ૫૧૦૦૦ વિદ્યાર્થીના જુદી જુદી ફેકલ્ટીમાં અભ્યાસ કરી શકે છે તેવી વ્યવસ્થા ઉભી કરી શક્યા છે . આ માટે ૧૫૦૦૦થી વધુ શિક્ષકોને રોકવામાં આવ્યા છે.તેમણે જણાવેલ કે “જ્ઞાનના કોઈ સીમાડા નથી.દેશ તો જ આગળ વધી શકશે કે જો આપણો એકએક આદિવાસી, દલિત, છેવાડાનો માનવી ભણેલો હશે. તેમણે વધુમાં જણાવેલ કે માત્ર ભણતર જ નહી પણ “સ્કીલ ડેવલોપમેન્ટ “ અત્યંત જરૂરી છે. પોતાની વાતને ભારપૂર્વક રજુ કરતા તેમણે જણાવેલ કે સુરતમાં “ વાત્સલ્ય” નામની સંસ્થા, જે તેમણે શરુ કરી છે. તેમાં બાળકોને ૭ ધોરણના અભ્યાસ પછી જુદી જુદી સ્કીલ જેવીકે લુહારીકામ ,સુતારીકામ, બાગાયત, ચણતરકામ વગરેનો અભ્યાસ કરાવવામાં આવેછે. તેઓએ ચિંતનાત્મક રૂખમાં જણાવેલ કે “ભીખ આપવાથી ભિખારી મટતો નથી કે ભૂખ ભાંગતી નથી પણ હાથમાં હુન્નર આપતા કાયમી રોટલો આપવાની શરૂઆત થી શકે છે. એટલે તેમણે “ વાત્સલ્ય” નામની સંસ્થામાં બનાવી છે જેમાં ૮૦૦થી વધુ નિરાધાર,અનાથ કે સાધન સુવિધા વગરના બાળકો અભ્યાસ કરેછે. જે માટે કોઈ સંસ્થા,સરકાર કે વ્યક્તિ પાસેથી પૈસો પણ લેવામાં નથી આવત્તો.
તેઓએ ભાવપૂર્ણ અવાજમાં કહ્યું કે ‘મારા સંતાનો પણ મને જે પ્રેમ નથી આપતા તેટલો સ્નેહ પ્રેમ આ બાળકો આપે છે. જેની સાથે તેઓ રોજ બે ત્રણ કલાક તેઓ વિતાવે છે.” તેઓએ શીખ આપતા જણાવ્યું કે બાળ વિકાસ માટે “ભણતર,સ્નેહ અને સ્કીલ” અતિ જરૂરી છે. દેશમાં ૯ કરોડથી વધારે બાળકો પ્રાથમિક સુવિધા વગરના છે કે અનાથ છે. સમાજને ગળગળા થઇ તેઓએ વિનંતી કરતા કહ્યું કે ‘ભારતને જો ભવ્ય બનાવવું હોય તો સમાજના એકેએક વર્ગે આ દલિતો વંચિતોને શિક્ષા,જ્ઞાનથી સમૃદ્ધ કરવા પડશે.તે માટે શક્ય તેટલું કાર્ય દેશ બાંધવો કરે “ તેવી તેમણે હાકલ કરી.
પોતાના વિચારોને ટેકો આપતા પોતાના ભવિષ્યના પ્લાન અંગે કહ્યું કે “ઓરિસ્સા,બંગાળ, આસામ માં દલિત,વંચિતોને જ્ઞાન,સ્કીલના વિકાસની સુવિધા ખુબ ઓછી મળે છે .તેથી તેઓએ ભુવનેશ્વર માં એક સંસ્થા સ્થાપવાનું નકકી કર્યું છે જે માટે ઓડીસ્સા સરકાર પાસે ૫૦૦૦ એકર જમીન માંગી છે જ્યાં આવા બાળકોને ભણાવવા માંગે છે.
અમરેલી વિષે માર્મિક ટકોર કરતા કહ્યું કે ૨૦૦૦ની સાલમાં, અમરેલીની વસ્તી ૧ લાખ હતી આજે પણ ૧ લાખ છે! કારણ કે નથી કોઈ ઉદ્યોગ, નથી કેળવણીની તકો,કે નથી વિકાસ.લોકો માઈગ્રેટ થાય છે આ જોઈ તેઓએ અમરેલીમાં પોતાની માતાના નામે “એક મેડીકલ કોલેજ “ સ્થાપવાનું નકી કર્યું છે.
દેશના અદના માણસોની જ્ઞાનની ભૂખ ભાંગવાની તીવ્ર ઝંખના વ્યક્ત કરી, કાર્યક્રમની સફળતા ઈચ્છી પોતાનું વક્તવ્ય પુરૂ કરેલ.
ત્યારબાદ સંઘકાર્યના ઉદેશો,રાષ્ટ્ર જાગૃતિ,સેવા ભાવના માટે સ્વયમ સેવકોએ
શું શું કરવું , શું શું ન કરવું જોઈએ તેન વિસ્તૃત ખ્યાલ આપતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સહ કાર્યવાહ માન. શ્રી યશવંતભાઈ ચૌધરીએ ઉદઘાટન ઉદબોધનમાં જણાવ્યું હતું કે,શ્રી વસંતભાઈ ગજેરા જે કાર્ય કરી રહ્યા છે, જે રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે એ જ કામ સંઘનો અદનો સ્વંયસેવક કરી રહ્યો છે. ને તેથી વસંતભાઈ ગજેરા પણ સ્વયંસેવક જ છે.
૨૭૩ સંઘના ગણવેશધારી સ્વયમ સેવકોને ઉદેશીને તેમણે કહ્યું કે આપણે સંઘના જવાબદારી નિભાવતા,પ્રતિજ્ઞાવાળા સ્વંયસેવક છીએ. રાષ્ટ્રધર્મ,હિંદુધર્મ, સંસ્કૃતિહિંદુ વગેરે રક્ષા કરવાની ભાવના વાળા સાધકો છીએ.
વ્યક્તિ શું કામ અને ક્યારે સ્વયંસેવક બને? તે વિષે વિચાર વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે યા તો વ્યક્તિ પૂર્વજન્મના સંસ્કારથી બને, જેમકે ગુરુ ગોલવાલકરજી., કે પછી સંઘ વિશેનું અધ્યયન કરતા, અભ્યાસ કરતા સ્વયસેવક થાય છે કે પછી કોઈનો પરિચય, સંસર્ગ,થતા સ્વયંસેવક થવા પ્રેરાય છે.
સ્વયંસેવકનું મહત્વ સમજાવતા શ્રી ચૌધરી એ જણાવ્યું હતું કે “ કોઈ ગમે તે રીતે સ્વયંસેવક થાય, પણ મહત્વનું છે “સ્વયમસેવકત્વ”. સમાજ વિષેનું ચિંતન વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે સમાજનું વાતાવરણ, વિકાસની તકો,વગેરેથી વ્યક્તિ નિર્માણ થાય છે જે યા તો નરોતમ બને છે કે નરાધમ બને છે. પરંતુ વ્યક્તિ પોતે સાધક બને, સાધના કરે તો જ માનવત્વ પ્રાપ્ત કરી શકે છે. આ માનવત્વ ની સાધના નો માર્ગ એ હિન્દુત્વનો માર્ગ છે, જે પ્રાપ્ત થાય છે સ્વયંસેવક થઈએ તો .
આ સાધનાનાનું સાતત્યપણું ઉદાહરણ આપી સમજાવતા કહ્યું કે શ્રી રામકૃષ્ણ પરમહંસના ગુરુ હતા તોતાપુરી . જે રામ કૃષ્ણ પરમહંસને કહે છે “ પીતળનો લોટો ચળકતો હોય છે પણ સાફ ન કરો ,માન્જો નહી તો કેવો થઇ જાય ? કાળો? મલીન? તો સાધનાનું પણ તેમજ છે જો સાતત્ય ન રહે, રોજ સાધના ન કરો તો તો લક્ષ્ય ચૂકાય જાય છે .તો સાધના રોજે રોજ હોવી જરૂરી છે.
વર્ગની ઉપયોગીતા સમજાવતા શ્રી ચૌધરીએ કહ્યું. વર્ગમાં શિક્ષાર્થી, પ્રબંધક,શિક્ષક દરેકનું ઘડતર થાય છે. દેરેકને પોતાના રોલનું જ્ઞાન થાય છે .આમ દરેક સંસ્કારીત થાય છે. દરેકમાં કૌશલ્ય છે, પણ કૌશલ્યની ધાર કાઢવાનો આ અવસર. તક વર્ગમાં મળે છે.
૨૦ દિવસના સહજીવનનું મહત્વ સમજાવતા શ્રી યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે આજના ન્યુક્લીયસ,એકાંગીપણાની સમાજ વ્યવસ્થામાં સાથે રહેવાના સહિષ્ણુતા કેળવવાના લાભ મળતા નથી જે અહી વર્ગમાં સાથે રહેવાથી, એક બીજાને સમજવાના , પરિચય મેળવવાના અવસર પ્રાપ્ત થાય છે . આપણી ઉણપો સમજી,અન્યની સારી ટેવો ,જોવાની ને કેળવવાની દ્રષ્ટિ મળે છે.ભિન્ન ભિન્ન વ્યક્તિત્વો, તેના ગુણ દોષો સાથે સામંજસ્ય સાધવાનો મોકો દરેકને મળે છે.
સંઘકાર્યની સમજ વધારવા તેઓએ સુચવ્યું કે : સંઘ કાર્ય વિષે મનમાં કોઈને કોઈ પ્રશ્નો હોય, સંઘ કાર્યની ફિલસુફી પર શંકા હોય તો આ વર્ગમાં અનુભવી કાર્યકર્તા, શિક્ષકો વગરે હોય છે. જે આપણી સમજ વિકસાવવામાં મદદ કરે છે.આપણી શંકાનું સમાધાન આપે છે આમ વર્ગ આપણી સમજ ઘડે છે.,વિકસાવે છે.
સ્વયમસેવકોને વ્યક્તિનિર્માણની પ્રક્રિયા વિષે જણાવતા કહ્યું કે “ સાંભળવું,સમજવું,સ્વીકારવું,અને આચરણમાં મુકવું” આ ક્રિયાઓનો બોધિક,શારીરિક વગેરેના કાલાંસથી તમે શ્રેષ્ઠ બનતા જશો,એટલું જ નહી ,શ્રેષ્ઠતમ થતા જશો.
વર્ગમાં ભાવનાત્મક વિકાસ કેમ થાય છે તે વિષે સમજાવતા તેઓએ કહ્યું કે સમૂહ જીવન સમૂહ ચિંતન , એકાત્મતા સ્તોસ્ત્ર, મંત્ર વગેરે સાંભળવાથી,સમજવાથી રાષ્ટ્ર પ્રત્યે અનેરો સ્નેહ બંધાશે .આપણા પૂર્વજો,શહીદોને યાદ કરતા આપણા ભવ્ય ઇતિહાસથી ગૌરવમય બનીશો. એટલું જ નહી દેશ બાંધવોની સેવા માટે પ્રતિબધ થતા જશો. અને “ હું સમાજમાં કેમ વધુ ઉપયોગી બનું તેનું ચિંતન કરતા થશો.
પરતું સ્વયસેવકોને ચેતવણી આપતા કહ્યું કે સમાજ સેવા માટે સ્વયમ શિસ્ત અને સમય પાલન અતિ મહત્વના સાધન છે તેનું ચુસ્તતાથી પાલન ન કરો તો બધું વ્યર્થ બને છે .તેથી
શિસ્તબધ બનવું પણ તેટલું જ આવશ્યક છ
કમીટમેંટ અને ડેડીકેશન વિષે સમજાવતા જણાવ્યુ હતુ કે કે ‘ આ દરેક સદગુણ, રાષ્ટ્રસેવા, સમાજ સેવા આપણા કમીટમેન્ટ અને આપણા ડેડીકેશન પર આધારીત છે આ જ ડેડીકેશન, કમીટમેંટ લાવવા આ વર્ગ ઉપયોગી થશે. શુભકામના સાથે શ્રી યશવંતભાઈએ વર્ગને વિધિવત ખુલ્લો જાહેર કર્યો. દિતિય વર્ષ સંઘ શિક્ષા વર્ગતા.9-5-2022 થઈ તા.29-5=2022 કુલ ૨૦ દિવસ ચાલશે. તારીખ 28 5 2022 ના રોજ સમારંભ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. તથા તારીખ 29 5 2022 ના રોજ સંશોધકો માટે દીક્ષાંત સમારોહ નું આયોજન કરવામાં આવશે
Recent Comments