અધિકારી – કર્મચારીઓને અમરેલી જિલ્લાના વિકાસકાર્યો માટે સકારાત્મક અભિગમ અપનાવે- જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા
અમરેલી, તા.૨૧ મે, ૨૦૨૨ શનિવાર (વિ. સં. ૨૦૭૮ વૈશાખ વદ ૫) જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાએ જુદી – જુદી કચેરીના અધિકારી – કર્મચારીઓના આંતરિક સંકલન માટે વિશેષ પ્રયાસો કરી અમરેલી જિલ્લાના વિકાસ કાર્યો માટે સકારાત્મક અભિગમ અપનાવવા સૂચના સહ અનુરોધ કર્યો.
તેમણે જિલ્લાના અધિકારી – કર્મચારીઓના આંતરિક સંકલન માટે એક અલાયદી બેઠક કરી હતી. કલેકટરશ્રીએ અધિકારી – કર્મચારીઓને એકબીજા સાથે આંતરિક સંવાદ કરવા અને કામગીરી બાબતે ફોલો અપ મેળવતા રહેવા પણ સૂચન કર્યુ.
અધિકારી – કર્મચારીઓને દુરસ્ત ફરાસખાના અને સાધનોનો નિયત સમયમર્યાદામાં નિયત રીતે નાશ કે નિકાલ કરવા તાકિદ કરી. નિકાલના બાકી કામો અને કાગળો પર તાત્કાલિક કામ પૂર્ણ કરવા અને બાકી હોય તેવા પેન્શન કેસ અંગે ઘટતું કરવા જણાવ્યુ.
વસૂલાત બાકી હોય એવા કામને સત્વરે પૂર્ણ કરવા અને રજૂઆતોનું રજિસ્ટર નિભાવવા માટે તેમણે સૂચના આપી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવ દિનેશ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘ, અધિક જિલ્લા કલેકટરશ્રી વાળા, કચેરીઓના વડા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments