આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
વર્ચ્યુઅલ રીતે અમરેલીના નાગરિકો જોડાશે
—
આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત આગામી તા.૩૧ મે – ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હિમાલય, શિમલા ખાતે યોજાશે. પ્રધાનમંત્રીશ્રીના એ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે અમરેલી ખાતે પણ અમરેલીના નાગરિકો જોડાશે.
આ કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ સૂચના આપતા કહ્યુ કે, આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા ખેડૂત, ખેડૂત, આશા વર્કર, આવાસ યોજનાના લાભાર્થી, માતૃ વંદના, આરોગ્ય સહિત વિવિધ કચેરીના લાભાર્થીઓ જોડાશે. વધુમાં જિલ્લાના પદાધિકારી, પંચાયતી રાજના પ્રતિનિધિઓ, બેંકના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવ દિનેશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, આરોગ્ય સહિતની સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments