ચાડીયા ગામે રેગ્યુલર તલાટી કમ મંત્રીની નિમણુંક અંગે ડીડીઓને રજુઆત કરતા ગ્રા.પં. ન્યાય સમિતિના ચેરમેન દિપાલી મકવાણા
ચાર્જ વાળા તલાટી અઠવાડીયામાં માત્ર ૧ દિવસ અને એ રેગ્યુલર તલાટીની નિમણૂંક ના થાય તો ગ્રાજનોને સાથે પણ બપોરે ૧૨:૦૦ પછી આવતા હોવાની ફરીયાદ રાખી આંદોલનની ચીમકી હાલમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકા મથકે ધકા ના થાય તે માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતને ઘણા અધિકારો આપવામાં આવ્યા છે જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને પંચાયત પર જ જરૂરી દસ્તાવેજો મેળવી શકે પરંતુ મોટા ભાગના ગામોમાં તલાટી મંત્રીની જગ્યા ખાલી હોવાના કારણે ત્યા અન્ય ગામના તલાટીને ચાર્જ સોપવામાં આવેલા છે . ત્યારે મોટાભાગના ગામોમાં ચાર્જ ના તલાટી અઠવાડીયામાં માત્ર એક જ દિવસ આવતા હોવાથી ગ્રામજનોના અનેક કામો અટકાયેલા રહે છે . અમરેલી તાલુકાના ચાડીયા ગામે પણ તરવડાના તલાટી મંત્રીને ચાર્જ આપવામાં આવેલ છે જે અઠવાડીયામાં માત્ર એક જ દિવસ આવતા હોય તે પણ બપોરે ૧૨:૦૦ વાગ્યા પછી આવતા હોવાથી ગ્રામજનોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે . ગ્રામ જનોના અનેક કામો અધુરા રહે છે અને સાથે સાથે ગ્રામ પંચાયતના પણ અનેક વિકાસના કામો અધુરા રહે છે . હાલમાં ગ્રામ્ય કક્ષાએ વેરા ભરવા માટેની કામગીરી શરૂ હોય , ગ્રામજનો ને આયુષ્યમાન કાર્ડ , બાળકોના શૈક્ષણિક કામ તેમજ અન્ય કામ માટે આવકના દાખલાની જરૂરીયાત ઉભી થતી હોય તેમજ અન્ય ઘણા કામો માટે તલાટીશ્રી ની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે રેગ્યુલર તલાટી ના હોય અને ચાર્જ વાળા તલાટી માત્ર એક દિવસ જ આવતા હોય જેના કારણે ગ્રામજનો ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે . ગ્રામ જનોને પડતી મુશ્કેલીના કારણે ગ્રામ પંચાયત ના સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દીપાલીબેન મકવાણા દ્વારા ડી.ડી.ઓશ્રી ને પત્ર લખી તાત્કાલીક ધોરણે ચાડીયા ગામે રેગ્યુલર તલાટીની નિમણુંક કરવા માટે રજુઆત કરવામાં આવી છે . જો વહેલી તકે આ બાબતે નક્કર પગલા લેવામાં નહી આવે તો પચાંયતના તમામ સદસ્યશ્રીઓ તથા ગ્રામજનો ને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે
Recent Comments