શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ આર્ટ્સ & કોમર્સ કોલેજ દામનગર ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સુરત ખાતે સ્નેહ મિલન યોજાયું
શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ આર્ટ્સ & કોમર્સ કોલેજ દામનગર ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહ મિલન એક બીજાને ધંધાકીય મદદ અને નવા સંબંધ વિકસાવવા ના હેતુ થી “સરદાર ફાર્મ ” યોગી ચોક સુરત મુકામે યોજાયું હતું . જેમાં કોલેજ અને ગુરુકુળ માં અભ્યાસ કરેલ ૬૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ/બહેનો, દામનગર ગુરુકુળ ના સ્વામીશ્રી ચંદ્રપ્રસાદદાસજી . સ્વામીશ્રી વિષ્ણુચરણદાસજી, શા.શ્રી આનંદસ્વરૂપદાસજી,મુખ્ય અતિથિ શ્રી ચિરાગભાઈ ફોગાડ,શ્રી વી.એમ.નારોલા,શ્રી કિશોરભાઇ તથા શ્રી મેહુલભાઈ હાજર રહ્યા હતા. સ્વામીશ્રી ચંદ્રપ્રસાદદાસજી એ વિદ્યાર્થી ભાઈઓ ને વ્યસનથી દૂર અને બહેનોને ફેશન થી દૂર રહી જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા આશીર્વચન પાઠવ્યા હતા. સ્વામીશ્રી વિષ્ણુચરણદાસજી એ સંસ્થાની સ્થાપના થી લઈ અત્યાર સુધી માં ગુરુકુળ ના વિદ્યાર્થીઓ એ દેશ-વિદેશ માં કરેલી પ્રગતિ વર્ણવી હતી. શાશ્રી આનંદસ્વરૂપદાસજી એ સંસ્થાનો પરિચય અને વિદ્યાર્થીઓના હોસ્ટેલ જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સ્નેહમિલન નો વિચાર અને આયોજન કોલેજ ની પ્રિન્સિપાલ શ્રી કોલડિયા સર અને તેની કોલેજ ટિમ દ્વારા કરવા બદલ શ્રી જયેશ ધોળકિયા અને આશિષ વધાસિયા એ શિલ્ડ આપી સન્માન કર્યું હતું. આ સ્નેહ મિલન માં ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો એક બીજાને મળી ખૂબ હર્ષ અને આનંદ ની લાગણી અનુભવી હતી અને અંતે શ્રીજી મહારાજ નો પ્રસાદ લઈ આવતા વર્ષે ફરી મળીશું ના કોલ સાથે સૌ છૂટા પડ્યા હતા.
Recent Comments