અમદાવાદ સરકારી આર્યુવેદીક હોસ્પિટલ ના તબીબો દ્વારા પર્યાવરણ દિને આર્યુવેદીક રોપા નું વૃક્ષારોપણ
અમદાવાદ વિશ્વ પર્યાવરણ દિન તા.૫ જૂન પર્યાવરણ દિન નિમિત્તે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ મણીબેન સરકારી આયુર્વદિક હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે તા.૪ જૂન શનિવાર સવારે ૧૦-૦૦ દરમ્યાનમાં ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગમાં શ્રીમતિ મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અસારવાના અધિક્ષક ડૉ.ચેતનાબેન એન. જાની તથા સાથી તબીબ મિત્રો શ્રી નીતિનભાઈ નાયક, હાર્દિક ભાઈ,વર્ષાબેન તેમજ સ્ટાફના સહકાર્યકરોના પરિશ્રમ સહયોગ દ્વારા આનંદ ઉત્સાહ પૂર્વક વિવિધ જાતના આર્યુવેદિક રોપાઓ રોપવામાં આવ્યા હતા જેની સાથે આજે પુષ્ય નક્ષત્ર હોવાથી સુવર્ણ પ્રાશ નાનાં બાળકોને પીવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
Recent Comments