અમરેલી જિલ્લા તથા તમામ તાલુકાની કોર્ટોમાં તા.૨૬મીએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
—
અમરેલી તા. ૨૪ જૂન, ૨૦૨૨ (શુક્રવાર) જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી આર.ટી.વચ્છાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં તા.૨૬ જૂન, ૨૦૨૨ને રવિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, જેમાં ક્રિમીનલ ડિસપ્યુટ, લેબર ડિસપ્યુટ, લેન્ડ એક્વીઝિશન કેસો, ઈલેકટ્રીસિટી અને વોટર બિલ્સ (નોન-કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસો, અધર સિવિલ કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા ઇચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સમિતિ, સિવિલ કોર્ટનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૯૮૨૪ કરવા ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments