લીલીયા તાલુકાના વાઘણિયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
લીલીયામોટા ના વાઘણિયા ગામે આદરણીયશ્રી દિલીપભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ ધોરાજીયા, સુરેશભાઈ પાનસુરીયા, ભનુભાઇ ડાભી, વાઘણિયા ગામનાં સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયા, ગૌતમભાઇ વિંછીયા, જીજ્ઞેશભાઈ સાવજ , ભરતભાઈ શેલડીયા તેમજ પ્રવિણભાઇ ચોપડા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Recent Comments