અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વંદે ગુજરાત – ૨૦ અંતર્ગત આગામી તા.6 જુલાઇથી ૧૨ જુલાઈ-૨૦૨૨ સુધી “પ્રાદેશિક સખી મેળો” યોજાશે
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વંદે ગુજરાત – ૨૦ અંતર્ગત યોજાનાર “પ્રાદેશિક સખી મેળા”ના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સિનીયર સીટીઝન પાર્કની જગ્યાએ હવે રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન સામેના ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરવામાં આવશે.
આગામી તા.૬ જુલાઇ, ૨૦૨૨ને બુધવારના રોજ સાંજે ૫ વાગ્યે આ કાર્યક્રમનો પ્રારંભ થશે, તા.૬ જુલાઈ થી ૧૨ જુલાઈ સુધી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. અમરેલીના રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન સામેના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ૫૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવશે. “પ્રાદેશિક સખી મેળો” એ સ્વ સહાય જૂથોને આર્થિક ઉન્નતિ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની સ્વરોજગાર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સાથે સાથે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓને વેગ આપવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવે છે.
Recent Comments