fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના મનરેગા કર્મચારી ઓની અચોક્ક્સ મુદ્દત ની હડતાળ- જિલ્લા વિકાસ અધિકારી, નિયામક ને આવેદનપત્ર અપાયું

સરકાર ની કલ્યાણકારી મનરેગા યોજના ના સમગ્ર ગુજરાત ના કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠનના નેજા હેઠળ રાજ્ય ના  ૨૫૦૦ થી વધુ મનરેગા કર્મીઓ આજે પોતાના પગાર વધારા માટે પોત પોતાના જિલ્લા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવી હડતાલ ઉપર ઉતર્યા છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મનરેગા કર્મચારીઓને પરફોર્મન્સ એપ્રેઝલ આધારે  વાર્ષિક ૧૫ ટકા પગાર વધારો કરવાનો ઠરાવ વિભાગ દ્વારા સને ૨૦૧૦ ની અમલમાં હોઈ પગાર વધારો વર્ષ ૨૦૧૭ બાદ ફક્ત એક જ વખત ૧૦% આપ્યો છે ૨૦૦૮ થી નોકરી કરતા કર્મચારીઓ આ કારમી મોંઘવારી માં આર્થિક સંકડામણ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા છે

રાજ્ય માં રોજના પાંચ લાખ કરતા વધુ શ્રમિકોને રોજગારી નું આયોજન કરતા અંદાજે ૨૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ આજે પોતાની રોજગારી મેળવવા તેમજ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં ગ્રામ વિકાસ  દ્વારા મનરેગા કર્મચારીઓ પગાર વધારા થી વંચિત રહ્યા છે મનરેગા યોજના સિવાય કેન્દ્ર સરકાર ની અન્ય સ્કીમ જેવીકે એસબીએમ મિશન મંગલમ પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્ય સરકાર ની સ્કીમ સાથે કનવરઝન્સ કરી કામગીરી કરી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ને સામુહિક તથા વ્યક્તિગત રોજગારી આપવા તથા ગ્રામ્ય કક્ષાએ ટકાઉ અસકયામત નું નિર્માણ  યોજના ને ઇમ્પ્લીમેન્ટ કરવાની મહત્વ ની ભૂમિકા સ્ટાફ ભજવે છે કોરોના મહામારી માં પણ આ સ્ટાફ દ્વારા પોતાના જીવ ના જોખમે સચોટ તથા કાબિલે તારીફ કામગીરી કરવામાં આવેલ હતી અને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકો ને ગેરેન્ટી રોજગારી તેમના જ ગામે આપવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/