જાનના જોખમે કોરોના કાળમા દર્દીઓને હોસ્પિટલે પહોચાડતા માનવિય સેવાના ભેખધારી સારથી સંજય પંડિતનું નિધન
નાદુરસ્ત તબીયત વચ્ચે પણ નાત–જાતથી પર રહીને અનેક પરિવારોના કોરોનાગ્રસ્ત દર્દીઓને અમરેલી થી રાજકોટ, અમદાવાદ, સુરત સુધીની ટ્રીપ કરી અનેકને નવજીવન બક્ષનારે જીવનલીલા સંકેલી દર્દીથી પરિવાર પણ દૂર ભાગે તેવા કોરોનાકાળમા દર્દીઓને જાનના જોખમે સારવાર માટે હોસ્પિટલ પહોચાડવા અને મૃતદેહને અવ્વલ મંજીલે પહોચાડવા સુધીની પ્રસંસનીય માનવીય સેવાના વાહક એમ્બ્યુલન્સ ડ્રાઈવર સંજયભાઈ પંડિતનું ટુકી બિમારીમાં અવસાન થતા ઘેરો શોક વ્યાપી ગયો છે.
પંડિત પોતાની નાદુરસ્ત તબીયત વચ્ચે પણ નાત–જાતથી પર રહીને અનેક પરિવારોના કોરોનાગ્રસ્ત દર્દીઓને સેવાનારૂપે હોસ્પિટલે પહોચાડવા , સારવાર અપાવવા ખડેપગે ઉભા રહેતા અમુક સરવારમાં દર્દીના પરિવારની જરૂર હોઈ પરંતુ કોઈ સાથે આવેલ ન હોય તેવા સમયે પરિવારના સભ્યની જેમ ખડેપગે ઉભા રહીને સારવાર અપાવતા પંડિતની અણધારી વિદાયને સહકારી– સામાજીક સંસ્થાઓ, તબીબી ક્ષેત્ર સહિત અનેક પરિવારજનોએ ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી હોવાનું યાદીમા જણાવાયેલ છે.
Recent Comments