માત્ર પંદર વર્ષની કુમળી વયે નિધન થતાં મૃતકના માતાએ ચક્ષુદાનનો નિર્ણય લીધો
માત્ર ૧૫ વર્ષની નાની વયે દુખદ અવસાન થતાં માતા દ્વારા મૃતકના ચક્ષુદાનનો નિર્ણય લેવાયો. અમરેલી શહેરના માત્ર પંદર વર્ષની કુમળી વયે શ્રી આસ્થાબેન સંજયભાઈ પરમારનું નિધન થતા એઈમ્સ હોસ્પિટલ અમરેલી ખાતે મૃતકના માતા દ્વારા ચક્ષુદાનનો નિર્ણય લેવાયો. આ સંદર્ભે રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ અને સંવેદના ગ્રુપના વિપુલભાઈ ભટ્ટીનો સંપર્ક કરતાં મેહૂલભાઈ વ્યાસ અને તેની ટીમે ખૂબ જ કાળજીપૂર્વક ચક્ષુદાનની પ્રકિયા પૂર્ણ કરી.
આમ હવે અમરેલી જિલ્લામાં જૂની પુરાણી ઘરેડમાંથી સમાજ બહાર આવી રહ્યો છે અને મૃત્યુ બાદ ચક્ષુદાનની પ્રણાલીને અપનાવતો થયો છે. અને એમાંય ચક્ષુદાન સ્વીકારવાની પવિત્ર સેવા સાવરકુંડલા શહેરના રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ બખૂબી નિભાવી રહ્યા છે. આમ તો ચક્ષુદાન સ્વીકારવાની પ્રક્રિયામાં ખૂબ સાવધાની અને સતર્કતા રાખવી પડે છે અને મેહૂલભાઈ વ્યાસ અને તેની ટીમે આ સેવા ખૂબ સફળતાપૂર્વક કરતાં જોવા મળે છે.
Recent Comments