અમરેલી જિલ્લામાં તલાટી મંત્રીઓની હડતાલમાં તાકીદે નિવારણ લાવવું અન્યથા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરતા ટીકુભાઈ વરૂ
અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તલાટી મંત્રીઓની હડતાલ ચાલી રહી છે જેમાં સરકાર સ્વતંત્ર નિષ્ફળ ગઈ છે અને તલાટી મંત્રીઓનો પ્રશ્ન સરકારમાં ધ્યાને લેવામાં આવતો ન હોય અને હાલ આ મહિનાની અંદર ઘણી જાહેર રજાઓ આવતી હોય અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ એસટી ના પાસ ક્રિમિનલ સર્ટી ખેડૂતો 7 12 8 પાણી પત્રક 16 નંબરના ફોર્મ ખેતીવાડી યોજના નાફોમૅ ગરીબો આવાસ ના દાખલાઓ મકાનના પ્લોટ ના ફોર્મ બીપીએલ ના દાખલા શોષિતો વંચિતો પડીતો અને ગરીબ દર્દીઓ માટે વેરા ની પહોંચ સરકારી દવાખાનામાં બીપીએલ કાર્ડ આવકના દાખલાઓ દવાખાના ના કાડ વગેરે જરૂરી કાગળો માટે લોકોને તલાટી મંત્રીના ગામડામાં કામ હોય.
આજે એક પણ કામ થતું નથી અને હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ગામડાની અંદર ચાલુ હોય જેમાં રહીશોના દાખલા પણ તલાટી મંત્રીઓ પાસેથી લેવાના હોય ત્યારે સંવેદનશીલ સરકારમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગામ પંચાયત નાં સરપંચ શ્રી ઓ સભ્યો એ પણ આ મુદ્દે સરકાર સામે શરમ રાખ્યા વિના ગામની જનતા માટે અવાજ ઉઠાવવા આગળ આવવું પડશે અને સરકારે તાત્કાલિક તલાટી મંત્રીઓની હડતાલ પૂરી કરવી જોઈએ અને નિવારણ લાવવું જોઈએ અન્યથા તાકીદે ધોરણે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ટીકુભાઈ વરૂ પત્ર લખી સરકારમાં માંગ કરી છે
Recent Comments