સંસદ સભ્ય નારાયણભાઈ કાછડીયા દ્વારા જાત્રોડા ગામને નંદનવન માટે ૨૨૫૦ વૃક્ષો નુ વાવેતર : મિશન ગ્રીન જાત્રોડા
અમરેલીના લીલીયા તાલુકામાં આવેલ જાત્રુડા સમસ્ત ગામે તા.૨૮ ઓગસ્ટને રવિવારે સવારે ૯-૦૦ કલાકે અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને અને સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાતની પ્રેરક ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ અને જાત્રોડા ગામના અને બ્હાર ગામ વસ્તા ગ્રામજનોએ ૨૨૫૦ કરતા વધુ વૃક્ષોનુ વાવેતર કરેલ.
આ કાર્યક્મમાં અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન આપતા અમરેલી વિસ્તારના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા એ જાત્રોડા ગ્રામજનો ને વિશાળ સંખ્યામાં વૃક્ષોના વાવેતર બદલ અભિનંદન પાઠવતા જણાવ્યુ હતુ કે,જાત્રોડા ગામમાં બ્હાર ગામ વસ્તા ગ્રામજનોએ ૨૨૫૦ કરતા વધુ વૃક્ષો વાવી પર્યાવરણની કાળજી સાથે ગામને નંદનવન બનાવી મિશન ગ્રીન જાત્રોડાનું પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયુ છે.અને આ કાર્ય વૃક્ષારોપણ સુધી સિમીત ના રાખતા તેનુ જતન સાથે ઉછેર થાય તેવી અપીલ પણ કરી હતી.તેમણે યુવાનોને શીખ આપતા કહયુ હતુ કે, કર્મભુમી પર રહીને પણ વતન તરફ દ્રષ્ટ્રી રાખી વતનનો વિકાસ થાય તે જરૂરી છે. આ તકે તેમણે જાત્રોડા ગામને સાંસદના દતક ગામ તરીકે લેવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્યશ્રી પ્રતાપભાઇ દુધાતે વૃક્ષારોપણના સુંદર કાર્ય બદલ ગ્રામજનો બિરદાવતા કહયુ હતુ કે,આવનારા સમયમાં પર્યાવરણ પશ્ન વિકટ બનવા છે ત્યારે જાત્રોડા ગ્રામજનોએ જાગૃત થઇને ગામના નાના માં નાના માણસ ને સાથે લઇ સુંદર ઉદાહરણ પુરૂ પાડયુ છે.
આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી શ્રી સવજીભાઇ ધોળકીયાએ પ્રેરક ઉદબોધનમાં તેમણે વૃક્ષઉછેરની સાથોસાથ જળસંચયને પણ આવનારા સમયની જરૂરીયાત ગણાવી તે દિશામાં પણ નક્કર કામ કરવા આહવાન કર્યુ હતુ. આગામી સમયમાં જાત્રોડા ગામની અંદર વૃક્ષારોપણ સાથે સાથે જળસંચય, સ્વસ્થતા અભિયાન, આરોગ્ય લક્ષી અનેક કાર્યક્રમ દ્વારા ગામ વિકાસની હરણફાળ ભરે તેવા આયોજનો હાથ ધરવામાં આવશે.
મિશન ગ્રીન જાત્રોડાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં લીલીયા તાલુકા પ્રમુખ શ્રી બહાદુરભાઈ બેરા, અમરેલી અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, અમરેલી જિલ્લા સહકારી બેંકના ભાઈલાલભાઈ કોઠીયા તેમજ લીલીયા સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર લક્ષ્મણ સિંહ તોમર ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણની કામગીરીને પ્રોત્સાહન આપી બધાને પ્રેરણા પૂરી પાડી છે.અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
Recent Comments