અમરેલી જિલ્લા કલેકટરને મ. ભો.યો.કર્મચારી મંડળ દ્વારા વિવિધ માંગ કરતું આવેદન પત્ર
અમરેલી જિલ્લા મ ભા.યો કર્મચારી મંડળ દ્વારા આવેદન પત્ર (કલેકટરશ્રી મારફત ) ગુજરાત ના મુખ્ય મંત્રી ને રજુઆત કરાયમ.ભો.યો.ના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવા મ.ભો.યો.ના નિચે મુજબના પડતર પ્રશ્નો બાબતે આવેદનપત્ર રજુ કરવામાં આવેલ છે તો સત્વરે સહાનુભૂતિ પુર્વક અમારા પ્રશ્નોનુ નિરાકરણ થાય તેવી નમ્ર વિનંતી છે.(૧) ગુજરાત સરકારના નાણાં વિભાગના તા. ૧૬-૭-૨૦૧૯ ના રાજયની કચેરીઓમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મિઓના મહેનતાણાં માં વધાર કરવાના ઠરાવ મુજબ ચાર કલાકથી વધુ સમયની કામગીરી માટે મુકવામાં આવેલ અંશકાલીન કર્મિઓના કિસ્સામાં તેઓએ રૂા. ૨૦/– પ્રતિદિન મહેનતાણું ચુકવવાની જોગવાઈ મુજબ આ ઠરાવથી રૂા. ૧૪૦૦૦/- ચુકવવાનો નામ.હાઈકોર્ટ દ્વારા કરેલ હુકમ મુજબ આ પ્રકારના કર્મિઓને રાજય સરકાર ચુકવી રહી છે તે મુજબ મધ્યાય ભોજન યોજનાના કર્મિઓને પણ ચુકવવામાં આવે.
(૨)શ્રમ અને રોજગારના અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો તરીકે નોંધાયેલ આ યોજનાના કામદારોને મ કાયદા મુજબ મળતા લાભો જેવા કે, પ્રસુતિ રજા, વિમો, ગ્રેચ્યુટી સહીતના લાભો જોગવાઈ મુજબ મળવા બાબત.(૩)નવિ શિક્ષણનિતી મુજબ દરેક પ્રા.શાળાના પ્યુન / કલાકની જગ્યા ઉપર મ.ભો.યો.ના કર્મિઓને અગ્રતા આપી નિમણુંક આપવામાં આવે. (૪) આ યોજનાના પાયાના કામદારો એવા શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલ અસંગઠીત ક્ષેત્રનાકામદારો તરીકે આઈડેન્ટીફાઈ થઈ રસોયા અને મદદનીશોને તેમની પ્રતિદિનની કામગીરીના મુલ્યાંકનનાઆધારે પોક્ષણક્ષમ મહેનતાણાંની જોગવાઈ કરવામાં આવે. (૫) આ યોજનાના રસોઈયા / મદદનીશોને વિમા કવચથી સુરક્ષિત કરી, એપ્રોન–સાડી-ગ્લોઝ થી સુસજજ કરી, ભારત સરકારની નવી શિક્ષણ નિતીની જોગવાઈ મુજબ ભોજન માતા નું નામાકરણ કરવાની માંગણી કરાય છે
Recent Comments