ખાનગી સિક્યુરિટી એજન્સીઓએ પરપ્રાંતિય ચોકિયાતોની વિગતો તૈયાર કરી વેરિફિકેશન કરવું ફરજિયાત
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું બહાર પાડયું છે. અમરેલી જિલ્લાની તમામ ખાનગી સિક્યોરિટી સંસ્થાના સંચાલકોએ ૭ ખાનાના નિર્ધારિતપત્રકમાં પરપ્રાંતિય બિનહથિયારી અને હથિયારી ચોકિયાતોની સંપૂર્ણ વિગતો ફોટા સહિતની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં અને એસ.ઓ.જી. શાખા, રાજમહેલ કેમ્પસ, એ-૧૦૪, બહુમાળી ભવન, અમરેલી ખાતે નિયત ફોર્મમાં આપીને જાણ કરવી. સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી આ નિયમો અમલમાં રહેશે. તેનું ઉલ્લંધન કરનાર કાયદેસર કાર્યવાહી પાત્ર ઠરશે.
Recent Comments