સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સુરેશ પાનસુરીયા દ્વારા રૂપિયા એક લાખ એકાવન હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું
સાવરકુંડલા શહેરમાં વેંદના ને વ્હાલા કરી જીવનમાં સેવાને સ્થાન આપનાર સાવરકુંડલા લીલીયા વિસ્તારના લોકોના હ્રદય સમ્રાટ, અને મેડિકલ ક્ષેત્રે અસંખ્ય દર્દી નારાયણની સેવા કરનાર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા સાવરકુંડલા ખાતે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં રૂપિયા 1,51,000 નું અનુદાન આપવામાં આવ્યું હતું.આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, તાલુકા ભાજપ મહામંત્રી નિતીનભાઇ નગદીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાલાળા, શહેર યુવા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોષી, જિલ્લા ભાજપ માલધારી પ્રમુખ મયુરભાઈ રબારી, અમરેલી જિલ્લા વેપારી સેલ ના કન્વીનર સંદીપભાઈ ભટ્ટ, શેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પ્રાગજીભાઈ, ભાજપ મંત્રી ચંપુભાઈ ધાધલ, શહેર ભાજપ મંત્રી અમિતભાઈ પંડ્યા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, ભુપતભાઈ પાનસુરીયા તથા ભાજપ અગ્રણી પોપટભાઈ બુહા સહિતના આગેવાનો ઉપસ્થિત થયા હતા.આ તકે સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં જેમની નોંધ લેવાયેલ છે તેવું અમારા સાવરકુંડલા નું ગૌરવ એટલે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આ દર્દી નારાયણની સેવા કરતી સંસ્થા અમારા સાવરકુંડલાના શિલ્પી શ્રી લલ્લુબાપા શેઠ ને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પછી હું મારા આદર્શ માનું છું આજે આ સંસ્થામાં આવી આ સંસ્થાની સેવા કરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું.
Recent Comments