વડીયામાં જાહેર સ્થળો પર (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર દ્વારા મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ને ગુરુવારના રોજ મતદાન થશે. આ દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના ૯૫- અમરેલી વડીયા કુંકાવાવ મતવિસ્તારમાં નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર દ્વારા મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યા છે. વડીયા નગરમાં વધુમાં વધુ નાગરિકોની અવર-જવર થતી હોય તેવા જાહેર સ્થળો પર (મતદાન) “ભૂલતા નહિ” ટીઝર એ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરી વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments