માર્કેટયાર્ડ–અમરેલીમાં નવા ચણાંની આવક શરૂ થઈ
અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં આજરોજ તા.૦૬/૦૧/ર૦રર ને શુક્રવાર નાંરોજ સિઝનનાં નવા ચણાંની આવક શરૂ થઈ હતી. જેમાં ભરતભાઈ મેર રે. માંડવા મુરલીધર ટ્રેડીંગ કાું.ની દલાલીમાં અંદાજીત ૩પ મણ ચણાં લઈ આવેલ હતા. જેનો ર૦ કિલોનાં ભાવ રૂા.૯૩૭/– રહેવા પામેલ જયારે રામપર તોરી ગામનાં ખેડૂત કિશોરભાઈ પ૦ મણ જેવા અંદાજીત ચણાં લઈ ખોડીયાર ટ્રેડીંગ કાું.ની દલાલીમાં લાવેલ તેઓનો ર૦ કિલોનાં રૂા. ૯૬૧/– ભાવ મળેલ હતો. નવા ચણાંની ખરીદી માર્કેટયાર્ડનાં વેપારીશ્રી હસમુખ ટે્રડીંગ અને બી.વી. ટ્રેડીંગે કરી હતી. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્યુ હતુ.
Recent Comments