વડોદરા ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરીજનો સુરક્ષિત દીપાવલી પર્વ મનાવે તે ફાયર બ્રિગેડનુ મુખ્ય લક્ષ્ય હોય છે. ફાયર બ્રિગેડના જવાનો તહેવાર હોય કે, કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સમયે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. લોકોને સુરક્ષા પૂરી પાડે છે.વડોદરા ફાયર
સુરતના રમેશભાઈ પુરોહિત (ગોપેસર કરિયાણા સ્ટોર ના માલિક) એ કહ્યું હતું કે તેઓ ઘરે હતા. કર્મચારીનો ફોન આવ્યો ને કહ્યું કે,ત્રણ અજાણ્યા ઈસમોએ દુકાનમાં ઘૂસીને મુક્કા માર્યા અને ચપ્પુ ના ઘા મારી ગલ્લામાંથી ૪-૫ હજાર લઈ ગયા છે. આ સાંભળી હું દોડીને દુકાન પર આવ્યો ને જમીન પર પડેલા ત્રણેય કર્મચારીઓ ને બાઈક પર સારવાર […]
સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર પ્રથી સ્વામી ભક્તિ તનયદાસજી સ્વામીએ ચોપડા પૂજન કર્યું હતું. પ્રારંભમાં ગણપતિ પૂજન લક્ષ્મી પૂજન તથા શારદા પૂજન બાદ સંતોએ ચોપડાઓમાં કંકુથી ચાંદલા કરેલ. યુગાનુસાર હાર્ડકોપીની સાથે સોફ્ટ કોપી- લેપટોપ કમ્પ્યુટરમાં હિસાબ કિતાબ લખાતા હોવાથી તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રભસ્વામીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી
ગુજરાત વાહન વ્યવહાર વિભાગ માટે દિવાળી અને હોળીનો તહેવાર એ આવકનું મોટું સ્ત્રોત ગણાય છે. કારણ કે, આ બંને મોટા તહેવારો દરમિયાન લોકો પોતાના વતન તરફ જાય છે જે માટે નિગમ તરફથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છેદિવાળીના તહેવારમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે કરેલી એક્સ્ટ્રા સંચાલનમાં અત્યાર સુધી ૨ લાખ ૩૫ હજાર પ્રવાસીઓએ મુસાફરી કરી […]
દિવાળીના તહેવારના ઘણા સામાજિક સંગઠનો અને દ્ગય્ર્ં લોકોને પર્યાવરણની રક્ષા માટે ફટાકડા ન ફોડવા માટેની અપીલ કરે છે. પણ કંગનાએ તેની એક પોસ્ટથી જ લોકોની બોલતી બંધ કરી દીધી છે. મહત્ત્વની વાત છે કે, એક દિવસમાં ફૂટતા ફટાકડાથી જેટલું વાતાવરણ પ્રદુષિત નથી થતું તેટલું તો ઉદ્યોગો અને વાહનોના ધુમાડાના કારણે થાય છે.એક્ટર અભિનેત્રી કંગના રણૌત […]
દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલના ભાવ ૧૦૦ને પાર થઈ ગયા છે. ડીઝલના ભાવ પણ સતત વધવાના કારણે તેની અસર બાકી દરરોજની ઉપયોગમાં આવતી વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. ૨૮ સપ્ટેમ્બર પછી સતત ૨૫ વખત પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાયો છે. જાેકે, હવે ઘટાડો થતા પેટ્રોલ ૧૨ રૂપિયા અને ડીઝલમાં ૧૭ રૂપિયાનો ઘટાડો થયો છે. એક તરફ દિવાળી […]
ભાવનગર કિસાન મોર્ચા દ્વારા આજે વર્ચ્યુઅલ ખેડૂત સંવાદ કાર્યક્રમ ભાવનગરના બૂધેલ નજીક આવેલ એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ પર યોજાયો, જેમાં સંવાદનો વિષય હતો ડ્રેગન ફ્રૂટ ની આધુનિક ખેતી કઇ રીતે કરી શકાય, કઈ રીતે ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરીને વધારેમાં વધારે આવક કેવી રીતે મેળવી શકાય, જલધારા નર્સરી અને કમલમ ફ્રૂટ ફાર્મ ખાતે યોજાયેલ આ […]
દિવાળી પૂજા માટે પૂજા સ્થળને એક દિવસ અગાઉથી શણગારવાનું શરૂ કરવું જાેઈએ. દિવાળીની પૂજા શરૂ કરતા પહેલા પણ પૂજા સામગ્રી એકત્રિત કરી લેવી. દેવી લક્ષ્મીની પસંદગીને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો શુભ યોગ બને છે. માતાના પ્રિય રંગો લાલ અને ગુલાબી છે. આ પછી, ફૂલો વિશે વાત કરીએ તો, કમળ અને ગુલાબ દેવી લક્ષ્મીના […]
૨ નવેમ્બરના રોજ યુઆઇડીએઆઇ (દંડકીય કાર્યવાહી) નિયમ, ૨૦૨૧ સંબંધમાં જાહેરનામંુ બહાર પાડયું હતું. આ નિયમો મુજબ યુઆઇડીએઆઇના આદેશોનું પાલન ના થતાં ફરિયાદ થઇ શકશે. યુઆઇડીએઆઇ દ્વારા નિયુક્ત અધિકારી આવા કેસમાં ર્નિણય કરશે અને તેવી સંસ્થાઓને રૂપિયા ૧ કરોડ સુધીનો દંડ કરી શકશે. અધિકારીના ર્નિણય સામે દૂરસંચાર વિવાદ સમાધાન અને અપીલ સત્તાવાળા સમક્ષ અપીલ થઇ શકશે. […]
પેટા ચૂંટણીમાં ભાજપાએ મોટા તફાવતથી પોતાની બે બેઠકો ગુમાવવી પડી છે. ૩ બેઠકો પર પાર્ટી ઉમેદવારો પોતાની ડિપોઝીટ પણ ન બચાવી શક્યા. પાર્ટીના રણનીતિકારોના મતે વિધાનસભા ચૂંટણીના પરિણામોની પાર્ટીના કાર્યકરોના મનોબળ પર અસર પડી છે. ૧૩ રાજ્યોની ૩ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૨૯ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોને લઈ ભાજપનું નેતૃત્વ શોકમાં છે. ખાસ […]
Recent Comments