ભાવનગર ખાતે કોરોના વેક્સીન લેતાં જયાબહેનનો પ્રતિભાવ
૦૦૦૦૦૦
કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે કોરોના વેક્સીનેશનની શરૂઆત તબક્કાવાર કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ભાવનગર શહેરના દિપક હોલ ખાતે શ્રી જયાબહેનએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ડોઝ લીધા બાદ તેમણે તેમના પ્રતિભાવ આપ્તા જણાવ્યુ હતું કે, આજે મે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. રસીકરણ બાદ અમને કોઇ શારીરિક તકલીફ જણાઇ નથી. તેમણે વધુંમાં જણાવ્યું હતું કે, લોકો એ ડર રાખ્યા વગર રસી અચૂક લેવી જોઈએ અને આ રસીકરણ અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો ડોઝ આપવાની કામગીરી ચાલું છે. જેમાં ૬૦ વર્ષથી વધું ઉમરનાં તથા ૪૫ થી ૫૯ વર્ષ સુધીના ગંભીર બીમારી ધરાવતા લોકોને હાલના તબક્કે રસી આપવામાં આવી રહી છે
Recent Comments