કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચિરંજીવી કોવિડ કેર સેન્ટરને કોવિડ-૧૯
કોરોનાનું સંક્રમણ રાજ્યમાં ધીમે ધીમે વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને ભાવનગર શહેર-જિલ્લામાં
અગમચેતી રૂપે કોરોનાના કેસના પ્રમાણમાં જરૂરી બેડ ઉપલબ્ધ બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિરંજીવી કોવિડ કેર સેન્ટર(હોટેલ ધિ બેસિલ પાર્ક), ભાવનગરને
કોરોનાના બેડ વધારવાની મંજૂરી સંદર્ભે ૩૦ જનરલ બેડ અને H.D.U. ના ૧૦ બેડ મળી કુલ ૪૦ બેડની
પરવાનગી સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી સાથે આરોગ્ય વિભાગની જોગવાઈઓ
મુજબ સેગમેન્ટ-૧ મુજબ કોવિડ કેર હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આઇસોલેશન અને સારવાર માટે
આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ રીતે હવે ભાવનગર જિલ્લામાં ૧૬ હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે
માન્યતા છે. જેમાં જનરલના ૨૧૪, H.D.U.ની ૨૩૩, I.C.U.ની ૪૯, N.I.C.U.ની 3 મળી કુલ ૪૯૯ બેડ
કોરોના માટે આરક્ષિત રખાયાં છે.
ઉપરોક્ત હોસ્પિટલોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જોગવાઈઓ મુજબ નિર્ધારિત
કરેલ દરે સારવાર આપવામાં આવશે. તેનાથી વધુ દર લઇ શકાશે નહીં.
જો આવી જોગવાઈઓનું ઉલ્લંઘન થતું જણાશે તો આવી સંસ્થા કે વ્યક્તિ ભારતીય દંડ સંહીતા-
૧૮૬૦ ની કલમ-૪૫ હેઠળ દંડને પાત્ર ઠરશે.
Recent Comments