શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીંબી દ્વારા કોરોના દર્દીઓને લાભ મળ્યો
કોરોના બિમારીમાં ભાવનગર જિલ્લાની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ દ્વારા સમાજ સેવાનું ઉમદા કાર્ય થયું છે.
ઉમરાળા તાલુકાના ટીંબી ગામે શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા પુરા પંથકમાં દવા સાથે સારવાર અને શસ્ત્રક્રિયાનો દર્દીઓને વિનામૂલ્યે લાભ મળી રહ્યો છે, ત્યારે આ વર્ષે કોરોના બિમારીના કહરમાં પણ આ સંસ્થા દ્વારા સારવાર કેન્દ્ર શરૂ કરાયું, જેમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ તેમજ પ્રથમ દરજ્જાના આરોગ્ય કેન્દ્ર જેવી ઉત્તમ સેવા થઈ છે.
સંસ્થાના વડા શ્રી બાબુભાઈ રાજપરાએ જણાવ્યા મુજબ માત્ર ભાવનગર જિલ્લો નહિ પરંતુ બહારના વિસ્તારના દર્દીઓની ઉત્તમ અને સફળ સારવાર થઈ છે. ટીંબીના આ કોરોના સારવાર કેન્દ્ર માટે સરકારી તંત્ર, દાતાઓ તેમજ કાર્યકર્તાઓનો પૂરો સહયોગ મળ્યો છે. ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર દ્વારા પ્રાણવાયુ એકમ માટે ૧૫ લાખ રૂપિયા અનુદાન ફળવાયું છે. અહીંયા દર્દીઓને દવા, ઉકાળા, નાસ્તો, ભોજન, ફળ તેમજ અન્ય સુવિધાઓનો સારો લાભ મળ્યો અને સાજા થયા. હવે કોરોના બિમારીમાં દર્દીઓ ઓછા થતા હવે આ કેન્દ્રની કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Recent Comments