રાજ્ય સરકારની સંવેદનશીલતાને લીધે ‘ધૈર્ય’ હવે ધીરે-ધીરે સાંભળતો અને બોલતો થશે- ધૈર્યના પિતા શૈલેષભાઈ પંડ્યા
કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટેનો રૂ. ૧૨ લાખનો ખર્ચ સાંભળીને અમારી તો હિંમત અને ‘ધૈર્ય’ બન્ને તૂટી ગયાં હતાં. પરંતુ રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે આજે ધૈર્યનું સફળતાપૂર્વક ઓપરેશન થયું છે અને આગામી સમયમાં તે બોલતો થઈ જશે તેવો વિશ્વાસ ધૈર્યના પિતાશ્રી શૈલેષભાઈ પંડ્યા વ્યક્ત કર્યો હતો.
શ્રી શૈલેષભાઈ પંડ્યાએ જણાવ્યું કે, તેમનો ધૈર્ય નાનપણથી જ સાંભળવાની ક્ષમતા ધરાવતો ન હતો. તેની સારવાર માટે અમે ઘણી બધી જગ્યાએ બતાવ્યું પરંતુ તેની કોઇ સારવાર સફળ થઈ નહીં.
આ રોગની સારવાર માટે ઓપરેશન એ એકમાત્ર ઇલાજ હતો અને આ ઓપરેશનનો ખર્ચ રૂ. ૧૦ થી ૧૨ લાખ થાય તેમ હતો. હું સામાન્ય માણસ છું અને આટલાં બધાં પૈસા ખર્ચવાની મારામાં તાકાત ન્હોતી. તેથી મનોમન મૂંઝાતો હતો.
Recent Comments