મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતાં મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા અને મહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર ઇ.ડબલ્યુ.એસ. પ્રકારના ૧૦૮૮ આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થવાં માટે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે.
મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ પર પૂર્વ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી રાજીવ પંડ્યા સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments