શિશુવિહાર પ્રાંગણમાં ૭૩ મો પ્રજાસત્તાક પર્વ ભાવનગર ગુરુદ્વારા સમિતિના ગુલાબસિંહ જેઠડા ના વરદ હસ્તે યોજાયેલ ધ્વજ વંદન
ભાવનગર ૨૬ શિશુવિહાર પ્રાંગણમાં ૭૩ મો પ્રજાસત્તાક પર્વ તારીખ ૨૬ જાન્યુઆરીએ યોજાઈ ગયો. ભાવનગર ગુરુદ્વારા સમિતિનાસ્થાપક પરિવારજન શ્રી ગુલાબસિંહ જેઠડા ના વરદ હસ્તે યોજાયેલ ધ્વજ વંદન સમયે ક્રીડાંગણ ના તાલીમાર્થીઓ ની બેન્ડ સલામી સાથે શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિર દ્વારા ૭૮મા અનુભવ તાલીમ વર્ગની ૫ શિક્ષિકા બહેનોને પ્રમાણપત્ર અને રૂપિયા ૧૬,૦૦૦ કોલરશીપ થી પ્રોત્સાહિત કરવામાં આવી.સંસ્થાના ટ્રસ્ટી શ્રી ઇન્દિરાબેન ભટ્ટ , શ્રી શબનમબહેન કપાસી , ડૉ મનીષભાઈ વકીલ ની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા માન્ય કરાયેલ ૯ ગવર્નર સ્કાઉટ નું વિશેષ અભિવાદન કરાયું .આ ઉપક્રમે ૧૫ સીવણ તાલીમાર્થી બહેનો તેમજ તેમના શિક્ષકશ્રી ગુલાબબા ગોહિલનું વિશેષ અભિવાદન થયું. શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લા ૮૪ વર્ષથી ચાલતી સર્વાંગી તાલીમ નું સંકલન શ્રી હરીશભાઈ ભટ્ટ તથા શ્રી કમલેશભાઈ વેગડે કર્યું હતું.
Recent Comments