મહુવાના તલગાજરડા ખાતે શ્રીહનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં મોરારીબાપુ દ્વારા નટરાજ, હનુમંત સહિતના વિવિધ ક્ષેત્રના એવોર્ડ પ્રદાન થશે.
પૂજ્ય મોરારીબાપુ પ્રેરીત વિવિધ ક્ષેત્રના પુરસ્કારો ભાષા તેમજ સાહિત્ય, કળાઓ,સામાજિક સેવા વગરે ક્ષેત્રે પ્રતિવર્ષ એનાયત થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી કોરોના મહામારી ના કારણે આ એવોર્ડ એનાયત થઈ શક્યા ન હતા.આ વર્ષે સીમિત સંખ્યા સાથે તારીખ 16/4 (ચૈત્રી પૂર્ણિમા) શનિવારે સવારે ૯થી ૧૨ના સમયે તલગાજરડા ના ચિત્રકુટધામ મધ્યે બુદ્ધિમતામ વરિષ્ઠમ અને જ્ઞાની નામ અગ્રગણિયમ એવા હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા સમક્ષ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના હનુમંત એવોર્ડ, અભિનય ક્ષેત્રના નટરાજ એવોર્ડ, સંસ્કૃત ભાષા સાહિત્યના વાચસ્પતિ અને ભામતી એવોર્ડ,શિલ્પ,ચિત્ર અને ફોટોગ્રાફી ક્ષેત્રના કૈલાશ લલિતકલા એવોર્ડ,સમાજ સેવા ક્ષેત્રના સદભાવના સન્માન, ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રના અવિનાશ વ્યાસ એવોર્ડ, વગેરે મળીને 40 એવોર્ડ અર્પણ કરી વંદના કરવામાં આવશે. આ એવોર્ડમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના હનુમંત એવોર્ડ ડો. પ્રભાત અત્રે, શાશ્વતી સેન (કથક) શ્રીમતી અમલા ઉદયશંકર ને તેમજ અભિનય ક્ષેત્રના નટરાજ એવોર્ડ શુભા ખોટે સચિન પિલગાવકર, રાકેશ બેદી (ફિલ્મ અભિનેતા ),મનોજ જોશી (ફિલ્મ અભિનેતા), દીપિકા ચિખલિયા (ફિલ્મ અભિનેત્રી),રામેશ્વરી ફિલ્મ અભિનેત્રી ),અનુરાધા પટેલ (ફિલ્મ અભિનેત્રી) સહિત 40 કલા સાધકોની વંદના થશે.એવોર્ડ વંદના પહેલા અહીં હનુમાનજી મહારાજની પ્રતિમા સમક્ષ હનુમાન ચાલીસા, અને સુંદરકાંડના સંગીતમય પાઠ થશે. તેમજ આરતી- પૂજા થશે.
Recent Comments