ભાવનગર શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગ્રત વાલી સંમેલન યોજાયું
ભાવનગર શ્રી ગોખલે જ્ઞાનમંદિર પુસ્તકાલય તથા શ્રી મોંઘીબેન બધેકા બાલમંદિરના ઉપક્રમે જાગ્રત વાલી સંમેલન તા.૨૩ એપ્રિલ નાં રોજ યોજવામાં આવેલ. જેમાં ભાવનગરનાં જાણીતા શિક્ષક શ્રી વર્ષાબહેન જાની દ્વારા વાલીઓને ‘ બાળ ઘડતર , પોષક આહાર તથા વ્યસન મુક્તિ ‘ પર માહિતગાર કરવામાં આવેલ તથા વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ..આ પ્રસંગે ૧૦૦ થી વધું વાલીઓ તથા બાળકોની પ્રેરક ઉપસ્થિતિમાં બાલમંદિરનાં બાળકોને સાવચેતી થી ઘરે થી બાલમંદિર લઇને આવતાં શ્રી પ્રકાશભાઈ , શ્રી યુનુસભાઈ તથા શ્રી મનીષભાઈનું સોલાપુરી ચાદર ભેટ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી અંકિતાબહેન ભટ્ટ તથા શ્રી પ્રીતિબહેન ભટ્ટએ કર્યું હતું
Recent Comments