ધોરણ – 12 સામાન્ય પ્રવાહનાં પરિણામમાં શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય ) રાળગોન ના વિદ્યાર્થીઓનુ શ્રેષ્ઠ પરિણામ
શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ – રાળગોન(તા.તળાજા)ના વિદ્યાર્થીઓએ મેળવી ભવ્ય સફળતા ધોરણ – 12 સામાન્ય પ્રવાહ ( 2022 ) ના રજુ થયેલ પરિણામમા શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ રાળગોન ના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ લાવીને ગામડાના શિક્ષણને શ્રેષ્ઠ સાબીત કરી બતાવ્યુ છે.શાળાના સામાન્ય પ્રવાહ ના કુલ – 45 વિદ્યાર્થીઓમાં પરમાર જયદીપ અશોકભાઈ ( બોરલા) 99.4 PR સાથે શાળામા પ્રથમ અને બગદાણા કેન્દ્ર મા 2 નંબર મેળવી તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ છે.તેમજ કામળિયા ઉર્વીષાબેન રણજીતભાઈ બીજો નંબર ( કોટિયા) PR – 98.71 ગોહિલ વૈદેહીબા જીણકાભાઈ ત્રજો નંબર ( ટિટોડીયા ) PR – 98.58 હડિયા ઋત્વિક જોધાભાઈ ચોથો નંબર( રાળગોન ) PR – 98.46 ઉત્તમ પરિણામ સાથે શાળાનું ગૌરવ વધારેલ છે. શાળાના – 22 વિદ્યાર્થીઓએ – 90 કરતા વધારે PR પ્રાપ્ત કરેલ છે.
Recent Comments