‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા‘ પર સંગોષ્ઠિ યોજાઈ
સણોસરામાં સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલય દ્વારા ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા’ પર યોજાયેલ સંગોષ્ઠિમાં વિદ્વાન સાહિત્યકાર વક્તાઓએ સ્વતંત્રતા તેમજ રાષ્ટ્ર ઘડતરમાં ગુજરાતી સાહિત્યનો મોટો પ્રભાવ રહ્યો છે તેઓ મત વ્યક્ત કર્યો હતો.
દ્રી દિવસીય આ સંગોષ્ઠિમાં વિવિધ વિદ્વાન કવિ-લેખકોએ પોતાના વિચારો રજૂ કર્યાં હતાં.
સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વવિદ્યાલયના આ ઉપક્રમના સમાપનના દિવસે ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી ટૂંકી વાર્તાની ભૂમિકા’ પરનું વક્તવ્યશ્રી કિરીટ દુધાતનાં અધ્યક્ષ સ્થાને યોજાયું હતું્. જેમાં વક્તા તરીકે શ્રી રાજેશ વણકર તથા શ્રી અજય રાવલ રહ્યાં હતાં.
શ્રી મણીલાલ પટેલના અધ્યક્ષ સ્થાને ‘ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી નવલકથાની ભૂમિકા’ વિષે વક્તાશ્રી કેસર મકવાણા તથા શ્રી નરેશ શુક્લ દ્વારા સુંદર સંદર્ભ વિગતો સાથેની રજૂઆત કરી હતી.
આ સંગોષ્ઠિના તમામ વક્તાઓ દ્વારા સ્વાતંત્ર્ય ચળવળ સાથે સાહિત્યના સર્જનમાં થયેલાં સ્વાભાવિક ભાવ પરિવર્તનનો સંદર્ભ ઉલ્લેખ સાથે ચિતાર રજૂ કર્યો હતો. સ્વતંત્રતા તેમજ રાષ્ટ્ર ઘડતરમાં ગુજરાતી સાહિત્યનો મોટો પ્રભાવ રહ્યો છે તેનું સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું હતું. આભારવિધિ શ્રી દિનુભાઈ ચુડાસમાએ કરી હતી.
સંકલનમાં લોકભારતી વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ભદ્રાયુ વછરાજાની સાથે શ્રી વિશાલ ભાદાણી અને શ્રી સોનલબેન પરીખ, શ્રી રાજેન્દ્રભાઈ ચોટલિયા તેમજ લોકભારતી વિશ્વવિદ્યાલય પરિવાર અને વિદ્યાર્થીઓ રહ્યાં હતાં.
Recent Comments