આગામી તા.૧૭ નાં રોજ ભાવનગર જિલાનાં તમામ તાલુકા મથકોએ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન
સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રીશ્રી દ્વારા “દરેક ગુજરાતી થશે આયુષ્યમાન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય- માં યોજના હેઠળ આયુષ્યમાનનું વરદાન” અંતર્ગત તા.૧૭-૧૦-૨૦૨૨નાં રોજ ગુજરાત રાજ્યનાં તમામ તાલુકા મથકે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ દરેક તાલુકામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં ૯૦,૪૨૬ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમ ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સીતારામ બાપુ આશ્રમ- બુધેલ ખાતે, ઘોઘા તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ- ઘોઘા ખાતે, તળાજા તાલુકા કક્ષાનો કાર્યક્રમ વ્યાયામ શાળા- તળાજા ખાતે, મહુવા તાલુકો કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ- મહુવા ખાતે, જેસર તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન- જેસર ખાતે, પાલીતાણા તાલુકા કક્ષાનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ- પાલીતાણા ખાતે, ગારીયાધાર તાલુકા કક્ષાનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ- ગારીયાધાર ખાતે, વલ્લભીપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગંભીરસિંહજી હાઇસ્કુલ- વલભીપુર ખાતે, ઉમરાળા તાલુકા કક્ષાનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ- ધોળા ખાતે તથા શિહોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ટાઉનહોલ- શિહોર ખાતે બપોરના ૩:૪૫ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી યોજાશે તેમ મુખ્ય જિલ્લા રોજ અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments