ભાવનગર માહિતી કચેરીનાં પ્યૂન પી.ડી.ગૌસ્વામીને વિદાયમાન અપાયું
જિલ્લા માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજ બજાવતા પ્યૂનશ્રી પી.ડી.ગૌસ્વામીનો વિદાયમાન આપવામાં આવ્યું હતું. શ્રી ગૌસ્વામીએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ ૩૧ વર્ષ ફરજો બજાવી હતી જેમાં છેલ્લા ૧૦ વર્ષથી માહિતી કચેરી, ભાવનગર ખાતે ફરજો બજાવતા શ્રી ગૌસ્વામીએ આ પ્રસંગે કારકીર્દીના જુના અનુભવો વાગોળ્યા હતા તેમજ ખંતથી માહિતી કચેરીમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલે બીરદાવી હતી.
શ્રી ગૌસ્વામીની વિદાય સંમારભ વેળાએ ખુબ જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આજીવન કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ અહિયા આજે ચરિતાર્થ થયું હતું.
આ તકે માહિતી મદદનિશશ્રી કૌશિક શીશાંગીયા, માહિતી મદદનિશ કુ.લોઇસ ક્રિશ્ચિયન, સુપરવાઇઝરશ્રી આર. એલ. પરમાર, સીનીયર કલાર્કશ્રી જે.કે.બાંભણીયા, ફોટોગ્રાફરશ્રી વિક્રમભાઇ મકવાણા, શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રી શક્તિ પરમાર, શ્રી હિતેન પરમાર, શ્રી સુમિત રાઠોડ, શ્રી વિશાલ સોલંકી, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments