fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 119 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૧૯ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી.

પોરબંદર સ્થિત શ્રી જયદેવભાઈ દિપકભાઈ ઉનડકટ પરિવારના સૌજન્ય થી ૪૫૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. કુસુમબહેન યશવંતભાઈ પંડ્યાની સ્મૃતિમાં શ્રી વંદનાબહેન યશવંતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં  ૪૫૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.૨૫ માર્ચ નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૧૯ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. હિરવાબહેન પટેલ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ  ૩૬ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  તેમજ દર્દીઓના ૧૬ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. 

દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/