જાવેદ અખ્તર માનહાનિ કેસમાં જામીનપાત્ર વોરંટ વિરુદ્ધ કંગના સેશન કોર્ટ પહોંચી
જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને કંગનાએ સેશન કોર્ટમાં પડકાર્યો છે. રિપોટ્ર્સના જણાવ્યા પ્રમાણે, કંગનાની આ અરજી ડિંડોશી કોર્ટમાં કરી છે, જેના પર ૧૫ માર્ચે સુનાવણી થશે. હકીકતમાં ૧ માર્ચે મુંબઈની અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. કોર્ટે વોરંટ એટલા માટે ઈસ્યુ કર્યું હતું કારણે કે કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી.
અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને પોલીસની સામે હાજર થવા માટે ૨૨ માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કંગના પોલીસ સ્ટેશન નથી જતી તો વોરંટ આપોઆપ કેન્સલ થઈ જશે. આ કેસની આગામી સુનાવણી ૨૬ માર્ચે થશે.
જાવેદ અખ્તરે નવેમ્બર, ૨૦૨૦માં કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમના વકીલ જય કુમાર ભારદ્વાજે કહ્યું હતું કે ગયા મહિને મુંબઈ પોલીસ તરફથી કંગનાનું નિવેદન લેવા માટે સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ તે હાજર ન થઈ અને ન તો તેના તરફથી કોઈ જવાબ આવ્યો.
આ કેસમાં ડિસેમ્બર, ૨૦૨૦માં અંધેરી મેટ્રોપૉલિટી મેજિસ્ટ્રેટ કોર્ટે જુહૂ પોલીસને કહ્યું હતું કે જાવેદ અખ્તરની ફરિયાદની તપાસ કરે. ત્યારબાદ પોલીસે પહેલી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદકર્તા (જાવેદ અખ્તર)ના આક્ષેપોની તપાસ જરૂરી છે.
Recent Comments