અનુરાગ કશ્યપે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ એન્જિયોપ્લાસ્ટી કરાવી
ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપે વીકેન્ડમાં મુંબઈની હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. અનુરાગને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હાલમાં અનુરાગની તબિયત સુધારા પર છે.
અનુરાગને ગયા અઠવાડિયે છાતીમાં થોડું થોડું દુખાતું હતું. આથી જ તેણે દવાખાને જઈને ચેકઅપ કરાવવાનો ર્નિણય લીધો હતો. સૌ પહેલાં એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં હૃદયમાં બ્લોકેજ હોવાની વાત સામે આવી હતી. અનુરાગે તરત જ સર્જરી કરાવવાનો ર્નિણય લીધો હતો.
ફિલ્મમેકરના સ્પોકપર્સને કહ્યું હતું કે અનુરાગે સર્જરી કરાવી છે. હાલમાં તે ઘરે જ છે અને આરામ કરી રહ્યો છે. કામ શરૂ કરતાં પહેલાં ડૉક્ટર્સે તેને અઠવાડિયા સુધી બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે.
અનુરાગ કશ્યપના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘મનમર્ઝિયા’ બાદ તાપસી સાથે ફિલ્મ ‘દોબારા’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ સાયન્સ-ફિક્શન થ્રિલર છે. અનુરાગની દીકરી અલાયા સો.મીડિયામાં ઘણી જ લોકપ્રિય છે. અલાયા ગ્લેમર વર્લ્ડમાં કામ કરવા માગતી નથી.
Recent Comments